હિંમતનગરમાં ગણેશ ઉત્સવની તૈયારીઓ પૂર્ણ
હિંમતનગરમાં ગણેશ ઉત્સવની તૈયારીઓ પૂર્ણ
Published on: 13th September, 2026

ગણેશચતુર્થી નજીક આવતા જ હિંમતનગર અને જિલ્લાના બજારોમાં ગણેશજીની મૂર્તિઓની ખરીદી માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. પર્યાવરણ પ્રત્યે જાગૃતિના કારણે માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓની માંગ વધી છે. આ વર્ષે મહારાષ્ટ્ર અને કલકત્તા કલેક્શનની મૂર્તિઓની માંગ વધુ છે. કુદરતી રંગો અને મહેનતને કારણે તે મોંઘી હોવા છતાં, માટીની 6 ઇંચથી 5 ફૂટ સુધીની મૂર્તિઓ રૂ. 350 થી ઉપલબ્ધ છે અને તેનું બુકિંગ પણ થયું છે. પ્લાસ્ટર ઓફ પેરીસ (POP)ની મૂર્તિઓ સસ્તી અને હલકી હોવા છતાં, માટીની મૂર્તિઓ વધુ પસંદ કરાઈ રહી છે.