ડભોઈમાં દશામા વિસર્જન માટે પાલિકાની ભવ્ય તૈયારીઓ
ડભોઈમાં દશામા વિસર્જન માટે પાલિકાની ભવ્ય તૈયારીઓ
Published on: 22nd August, 2026

ડભોઈ શહેરમાં પવિત્ર દશામાના વ્રતની પૂર્ણાહુતિ અને મૂર્તિ વિસર્જનને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષે, કોઈ અલગ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું નથી, તેથી ઐતિહાસિક શાકમાર્કેટ તળાવ ખાતે જ તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભક્તોની સુવિધા અને પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, તળાવ પરિસર અને આસપાસના રસ્તાઓની સઘન સફાઈ કરવામાં આવી છે. સાંજે અને રાત્રિના સમયે વિસર્જન માટે આવતા ભક્તો માટે તળાવના ઘાટ અને મુખ્ય માર્ગો પર પૂરતી ફ્લડ લાઇટ્સ અને વિશેષ રોશનીની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા માટે તરવૈયા, સ્ટાફ્ અને પાલિકાના કર્મચારીઓની ટીમ ખડેપગે રહેશે.