રાક્ષસના વધ બાદ કાર્તિકેય પસ્તાયા, મનની શાંતિ માટે કરી શિવજીની સ્થાપના
રાક્ષસના વધ બાદ કાર્તિકેય પસ્તાયા, મનની શાંતિ માટે કરી શિવજીની સ્થાપના
Published on: 18th August, 2026

ભરૂચ જિલ્લાના કાવી-કંબોઈ ગામે આવેલું સ્તંભેશ્વર મહાદેવનું શિવાલય મધદરિયે આવેલું છે અને દિવસમાં બે વાર જળમગ્ન થઈ જાય છે. માન્યતા અનુસાર, શિવજીના પુત્ર કાર્તિકેય સ્વામીએ રાક્ષસ તારકાસુરના વધ બાદ પસ્તાવો થતાં મનની શાંતિ માટે આ મંદિરની સ્થાપના કરી હતી. અરબ સાગરમાં સ્થિત આ મંદિરમાં ભરતી વખતે દરિયો દિવસમાં બેવાર મંદિર સુધી પહોંચે છે, ત્યારે દરિયાદેવ સ્વયં જળાભિષેક કરે છે. શિવપુરાણ અને સ્કંદ પુરાણમાં પણ આ મંદિરનો ઉલ્લેખ છે.