શ્રાવણ માસમાં શિવ આરાધનાનો મહિમા
શ્રાવણ માસમાં શિવ આરાધનાનો મહિમા
Published on: 17th August, 2026

પવિત્ર શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના માટે વિશેષ ગણાય છે. 'અબતક'ના વિશેષ કાર્યક્રમમાં હિતાર્થભાઈ ભટ્ટજીએ શિવપૂજાની વિધિઓ, જળાભિષેક, બીલીપત્ર, પંચામૃત, મંત્રજાપ અને શિવાલય દર્શનના ધાર્મિક ક્રમ વિશે વિસ્તૃત માહિતી આપી. શ્રાવણ દરમિયાન શિવલિંગ પર જળાભિષેક, બીલીપત્ર અર્પણ અને 'ૐ નમ: શિવાય' જાપની પરંપરા ગુજરાતમાં વ્યાપક છે. શ્રદ્ધા, શુદ્ધ ભાવના અને સાત્વિકતા સાથે કરાયેલી શિવ આરાધનાનું વિશેષ મહત્વ છે. રુદ્રાભિષેક, લઘુરુદ્ર અને મહારુદ્ર જેવી ધાર્મિક વિધિઓ પણ શિવાલયોમાં થાય છે.