શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ
શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ
Published on: 18th August, 2026

હિન્દુ શાસ્ત્રો મુજબ, શ્રાવણ મહિનો ભગવાન શિવની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રાવણ માસ શરૂ થયા બાદ પ્રથમ સોમવારે હિંમતનગર અને સાબરકાંઠા જિલ્લાના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર જળ, દૂધ, બીલીપત્ર અને ફૂલ અર્પણ કરી મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરી હતી. હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ અને મહેતાપુરાના ઝરણેશ્વર મહાદેવ મંદિરોમાં વિશેષ ભીડ હતી. રક્ષાબંધન બાદ આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને ભજન સંધ્યા જેવા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થઈ રહ્યું છે.