બનાસકાંઠાના 71 કાર્યકર્તાઓ આર્મી સુરક્ષા સાથે બાબા બુઢા અમરનાથ યાત્રાએ રવાના
બનાસકાંઠાના 71 કાર્યકર્તાઓ આર્મી સુરક્ષા સાથે બાબા બુઢા અમરનાથ યાત્રાએ રવાના
Published on: 18th August, 2026

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આયોજિત શ્રી બાબા બૂટા અમરનાથ યાત્રામાં બનાસકાંઠા વિભાગના 71 કાર્યકર્તાઓ પાલનપુરથી રવાના થયા છે. આર્મીની સુરક્ષા હેઠળ, આ યાત્રાળુઓ 18મી ઓગસ્ટે પૂંછમાં બાબા બુઢા અમરનાથના દર્શન કરશે. પાલનપુરના વિજય હનુમાન મંદિરમાં દર્શન કર્યા બાદ, મહામંડલેશ્વર સ્વામી રામેશ્વરાનંદગીરીજીના આશીર્વાદ મેળવી, તેઓ રેલી સ્વરૂપે રેલવે સ્ટેશન પહોંચ્યા અને જમ્મુ જવા ટ્રેનમાં રવાના થયા. પુલસ્ત્ય મુનિ દ્વારા પૂજાયેલ આ સ્થળ "બાબા ચટ્ટાની" તરીકે પણ ઓળખાય છે, જ્યાં વિશાળ ચટ્ટાન સ્વરૂપે શિવતત્ત્વની પૂજા થાય છે.