શ્રાવણનો પ્રથમ સોમવાર પર કાયાવરોહણમાં પ્રતિમા સંવર્ધન અને દૂધ અભિષેકની મર્યાદા
શ્રાવણનો પ્રથમ સોમવાર પર કાયાવરોહણમાં પ્રતિમા સંવર્ધન અને દૂધ અભિષેકની મર્યાદા
Published on: 17th August, 2026

શ્રાવણના પ્રથમ સોમવારે નવનાથ મહાદેવ સમિતિ દ્વારા મંદિરોમાં ધજા ચઢાવાશે અને વિશેષ શણગાર કરાશે. કાયાવરોહણમાં પ્રતિમા સંવર્ધન માટે મધ સહિતના અભિષેક પર પ્રતિબંધ મુકાયો છે. મોટાભાગનું મધ નકલી હોવાથી પ્રતિમાને નુકસાનની ભીતિ છે. મંદિરમાં દૂધનો અભિષેક મર્યાદિત કરી, બાકીના દૂધનો ઘી બનાવી અન્નક્ષેત્ર અને દીવા માટે ઉપયોગ કરાશે. સારણેશ્વર મહાદેવ મંદિરમાં ચોખાના કમળના દર્શન યોજાશે, જ્યારે 7 સપ્ટેમ્બરે ‘નશામુક્તિ’ અભિયાન સાથે કાવડયાત્રા નીકળશે.