ભાવનગરમાં નાયબ CM દ્વારા 'ચેરિટી ભવન'નું ખાતમુહૂર્ત: જાહેર ટ્રસ્ટોની નોંધણી હવે સુવ્યવસ્થિત થશે.
ભાવનગરમાં નાયબ CM દ્વારા 'ચેરિટી ભવન'નું ખાતમુહૂર્ત: જાહેર ટ્રસ્ટોની નોંધણી હવે સુવ્યવસ્થિત થશે.
Published on: 15th February, 2026

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ભાવનગરમાં નવનિર્મિત ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત કરાયું. આ ભવનથી ચેરિટી કમિશનર કચેરી અને જાહેર ટ્રસ્ટોની નોંધણીની કામગીરી સુવિધાસભર બનશે. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા. 'ચેરિટી ભવન' માં કોર્ટ, ચેમ્બર, રેકર્ડ રૂમ જેવી સુવિધાઓ હશે. આ ભવનથી ટ્રસ્ટ અને લોકોને સુવિધામાં વધારો થશે.