મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ‘રાજ્ય સ્વાગત’ કાર્યક્રમ.
Published on: 31st May, 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ‘રાજ્ય સ્વાગત’ નામનો ઓનલાઈન જનસુનાવણી કાર્યક્રમ યોજાયો હતો, જેનો ઉદ્દેશ નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતોનો ઝડપી નિકાલ કરવાનો છે. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર, SP, મ્યુનિસિપલ કમિશનર, RACM અને ડેપ્યુટી ડી.ડી.ઓ. સહિતના અધિકારીઓએ મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ નાગરિકોની ફરિયાદો સાંભળી અને તેના ત્વરિત ઉકેલ માટે માર્ગદર્શન આપ્યું. સુરેન્દ્રનગરના અધિકારીઓએ પણ જિલ્લાના પ્રશ્નોની સમીક્ષા કરી અને લોકકલ્યાણકારી કાર્યો માટે સંકલ્પબદ્ધતા દર્શાવી.