પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી સા.કુંડલામાં STP અને WTP પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી સા.કુંડલામાં STP અને WTP પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
Published on: 31st August, 2026

સાવરકુંડલા શહેરમાં રૂપિયા 38.55 કરોડના ખર્ચે બે મહત્વપૂર્ણ Water Treatment Plant (WTP) અને Sewage Treatment Plant (STP) પ્રોજેક્ટ તૈયાર થયા છે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે આ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થશે. STP પ્લાન્ટ 7.340 MLD ક્ષમતાનો છે, જે ગંદા પાણીના શુદ્ધિકરણ માટે છે. જ્યારે WTP પ્લાન્ટ 17 MLD ક્ષમતાનો છે, જે અમૃત 2.0 યોજના હેઠળ તૈયાર થયો છે. આ બંને પ્રોજેક્ટ સાવરકુંડલાના લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડશે અને ગટર વ્યવસ્થાને સુધારશે.