ધોળકા ગ્રામ્યમાં કેમિકલયુક્ત પાણીનો પ્રશ્ન
ધોળકા ગ્રામ્યમાં કેમિકલયુક્ત પાણીનો પ્રશ્ન
Published on: 26th August, 2026

ધોળકા તાલુકાના બદરખા, ચલોડા અને ભેટાવાડા ગામોમાં કેમિકલયુક્ત પાણીના નિકાલના મુદ્દે ધારાસભ્ય કિરીટસિંહ ડાભીની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ. ભેટાવાડા સહિત આસપાસના ગામોમાં કેમિકલયુક્ત પાણીથી ગ્રામજનોના આરોગ્ય અને ખેડૂતોને થઈ રહેલા નુકસાન અંગે ચર્ચા થઈ. ઔદ્યોગિક એકમો સામે તાત્કાલિક પગલાં, અસરગ્રસ્તોને સહાય અને રાહત કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો. સંબંધિત અધિકારીઓને કેમિકલયુક્ત પાણી બંધ કરવા અને નિયમોનું પાલન કરાવવા સૂચના અપાઈ. જરૂરિયાતમંદ પરિવારોને તાત્કાલિક કપડાં, ઘરવખરી અને આર્થિક સહાય પહોંચાડવા પણ નિર્દેશ અપાયો.