ગુજરાત સરકાર સર્કિટ હાઉસ સંચાલનમાં નિષ્ફળ
ગુજરાત સરકાર સર્કિટ હાઉસ સંચાલનમાં નિષ્ફળ
Published on: 13th September, 2026

ગુજરાત સરકાર સરકારી અતિથિ ગૃહોના સંચાલનમાં નિષ્ફળ રહી છે. અંબાજી, દ્વારકા અને સોમનાથ ખાતેના ત્રણ મહત્વપૂર્ણ સર્કિટ હાઉસનું સંચાલન હવે 'મેકવે મેનેજમેન્ટ' નામની ખાનગી પાર્ટીને PPP મોડેલ હેઠળ સોંપવામાં આવ્યું છે. આ સ્થળોએ વાર્ષિક લગભગ 1 થી 1.5 કરોડ યાત્રાળુઓ આવે છે. 4 વર્ષ પહેલા 50 કરોડથી વધુના ખર્ચે બનેલા આ સર્કિટ હાઉસમાં માત્ર 25% ઓક્યુપન્સી હતી. હવે 75% રૂમ ખાનગી એજન્સી દ્વારા બુક કરાશે, જેનાથી સામાન્ય જનતાને ફાયદો થશે. જોકે, સલામતી અને ગરિમા જળવાશે કે કેમ તે ચિંતાનો વિષય છે.