દુબઇમાં ફસાયેલા ગુજરાતીઓને વૈષ્ણવ સંઘ UAE દ્વારા મદદ
દુબઇમાં ફસાયેલા ગુજરાતીઓને વૈષ્ણવ સંઘ UAE દ્વારા મદદ
Published on: 05th March, 2026

યુદ્ધના કારણે દુબઇમાં ફ્લાઇટ્સ રદ થતાં ફસાયેલા ભારતીય પરિવારોને વૈષ્ણવ સંઘ UAEએ મદદ કરી. ટીમે રહેવા-જમવાની વ્યવસ્થા કરી, યોગાથી લઈને અંતાક્ષરી સુધીનું આયોજન કર્યું. નિખિલ સાયાણી અને તેમની ટીમે માનવતા મહેકાવી અને ફસાયેલા લોકોના ચહેરા પર સ્મિત લાવ્યું. વૈષ્ણવ સંઘ UAE એ ફસાયેલા લોકોને મદદ કરવા માટે રાત દિવસ જોયા વગર કામ કર્યું અને તેમના ઘરે જવા માટે મદદ કરી.