હાર્દિક અધૂરો, બુમરાહ કેપ્ટન બને: માંજરેકરની MIને સલાહ.
હાર્દિક અધૂરો, બુમરાહ કેપ્ટન બને: માંજરેકરની MIને સલાહ.
Published on: 12th May, 2026

IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. હવે મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટ પર હાર્દિક પંડ્યાને કેપ્ટન પદ પરથી હટાવવાનું દબાણ વધી રહ્યું છે. પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટને આકરા શબ્દોમાં સલાહ આપી છે કે હવે હાર્દિક પંડ્યાને કેપ્ટન પદ પરથી મુક્ત કરવાનો સમય આવી ગયો છે. માંજરેકરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જસપ્રીત બુમરાહ ટીમનું નેતૃત્વ કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.