IPL: પંજાબ Vs હૈદરાબાદ, સનરાઇઝર્સનો બદલો લેવાનો પ્રયાસ.
IPL: પંજાબ Vs હૈદરાબાદ, સનરાઇઝર્સનો બદલો લેવાનો પ્રયાસ.
Published on: 06th May, 2026

IPL 2026 ની 49મી મેચમાં 6 મેના રોજ પંજાબ કિંગ્સ (PBKS) નો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં થશે. સતત 6 મેચ જીતીને અજેય દેખાતી પંજાબ ટીમ છેલ્લી બે મેચોમાં હારીને દબાણમાં છે. જ્યારે, SRH પોતાની તાકાત અને Home Advantage નો ઉપયોગ કરીને પૉઇન્ટ્સ ટેબલમાં ટોચ પર પહોંચવા માંગશે. બંને ટીમો વચ્ચે IPL માં 25 મેચ રમાઈ છે, જેમાં SRH 17 જીતી છે. આ સિઝનમાં પહેલી મેચ પંજાબે જીતી હતી. SRH ના ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને ક્લાસેન સારા ફોર્મમાં છે. PBKS ની બેટિંગ લય ગુમાવી રહી છે અને બોલિંગ અસ્થિર છે.