'ઝાલમુરી મેં ખાધી પણ તીખું TMCને લાગ્યું', બંગાળમાં PM મોદીનો મમતા બેનર્જી પર પ્રહાર
'ઝાલમુરી મેં ખાધી પણ તીખું TMCને લાગ્યું', બંગાળમાં PM મોદીનો મમતા બેનર્જી પર પ્રહાર
Published on: 23rd April, 2026

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ કૃષ્ણનગરમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે સત્તાધારી TMC પર આકરા પ્રહારો કરતા રાજ્યમાં 'પરિવર્તન'નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ તેમના સંબોધનમાં 'ઝાલમુરી'ના કિસ્સાનો ઉલ્લેખ કરતા કટાક્ષમાં કહ્યું કે, 'મેં બંગાળમાં ઝાલમુરી ખાધી હતી, પરંતુ એવું લાગે છે કે તેના મરચાંનો તીખો સ્વાદ ટીએમસીના નેતાઓને લાગ્યો છે.' તેમણે દાવો કર્યો હતો કે 4 મેના રોજ ભાજપની જીત નક્કી છે અને તે દિવસે બંગાળમાં મીઠાઈની સાથે ઝાલમુરી પણ વહેંચવામાં આવશે.