ઓઢવમાં અનુસૂચિત જાતિ સંમેલનમાં પ્રાથમિક સુવિધા મુદ્દે લોકોએ નેતાઓને ઘેર્યા.
ઓઢવમાં અનુસૂચિત જાતિ સંમેલનમાં પ્રાથમિક સુવિધા મુદ્દે લોકોએ નેતાઓને ઘેર્યા.
Published on: 23rd April, 2026

અમદાવાદના ઓઢવમાં BJPના અનુસૂચિત જાતિ સંમેલનમાં રસ્તા, ગંદકી અને પાણી જેવા પ્રશ્નો મુદ્દે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. પૂર્વ સાંસદ ડો. કિરીટ સોલંકી સહિતના નેતાઓને અધવચ્ચેથી ભાગવું પડ્યું. સ્થાનિકોએ બેનરો અને પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા, મહિલાઓએ નેતાઓને સવાલોથી ઘેર્યા. પોલીસે લોકોને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ. તંત્ર અને પોલીસનું IB નિષ્ફળ ગયું.