દિલ્હીની વાત : ભાજપ માટે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ ગળાનું હાડકુ બન્યા
દિલ્હીની વાત : ભાજપ માટે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ ગળાનું હાડકુ બન્યા
Published on: 10th March, 2026

pimg src="https://static.gujaratsamachar.com/content_image/content_image_f4621c95-acd3-4429-9126-ee024f708609.jpeg" data-filename="Delhi-Ni-Vaat.jpg"br/ppનવીદિલ્હી : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદએ કાશીથી ધર્મયુદ્ધની શરૂઆત કરી છે. ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગણી સાથે એમણે યાત્રા શરૂ કરી છે જે ૧૧મી માર્ચે લખનૌ પહોંચશે. આક્રમક અવિમુક્તેશ્વરાનંદના ભક્તોએ વહેચેલી પત્રિકાઓમાં લખ્યું હતું કે, 'જિંદા હિન્દુ લખનૌ ચલે' અવિમુક્તેશ્વરાનંદજી લોકો વચ્ચે જઈને એવી રજુઆત કરી રહ્યા છે કે, હિન્દુ મતો દ્વારા ચૂટાયેલી સરકાર સામે ગાયને બચાવવા માટે આંદોલન કરવું પડે છે. એમ લાગે છે કે અવિમુક્તેશ્વરાનંદ ભાજપ માટે ગળાનું હાડકુ બન્યા છે. ભાજપના જ કેટલાક નેતાઓ અવિમુક્તેશ્વરાનંદને પડખે ઉભા છે. ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય ખુલ્લેઆમ અવિમુક્તેશ્વરાનંદના ટેકામાં છે./p