જાણો અયોધ્યા રામ મંદિરમાં CEOની લાયકાત અને પગાર સંબંધિત વિગતો
જાણો અયોધ્યા રામ મંદિરમાં CEOની લાયકાત અને પગાર સંબંધિત વિગતો
Published on: 13th July, 2026

અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીના વિવાદ બાદ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે હવે મંદિરના Chief Executive Officer (CEO) ની વેકેન્સી જાહેર કરી છે. આ પદ માટે 18 જુલાઈ 2026 સુધી અરજીઓ મંગાવવામાં આવી છે. CEO બનવા માટે ઉમેદવાર 50 થી 70 વર્ષની ઉંમરનો, માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક, ઓછામાં ઓછો 20 વર્ષનો મેનેજમેન્ટ અનુભવ ધરાવતો, હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો 'સનાતની હિન્દુ' હોવો અનિવાર્ય છે. 'વૈષ્ણવ પરંપરા' સાથે સંબંધ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય અપાશે. પગાર અને અન્ય સુવિધાઓ નિયુક્તિ બાદ નક્કી થશે.