સુપ્રીમ કોર્ટની રામ મંદિર ટ્રસ્ટને નોટિસ, SIT રિપોર્ટ રજૂ કરવાનો આદેશ
સુપ્રીમ કોર્ટની રામ મંદિર ટ્રસ્ટને નોટિસ, SIT રિપોર્ટ રજૂ કરવાનો આદેશ
Published on: 13th July, 2026

અયોધ્યા રામ મંદિર દાન ચોરીના ગંભીર મામલે સુપ્રીમ કોર્ટે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને નોટિસ ફટકારી છે. કોર્ટે ટ્રસ્ટને એક અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચિત SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)નો રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો છે. સુરક્ષા અને ગુપ્તતાના કારણે આ રિપોર્ટ હાલ અરજીકર્તાઓને આપવામાં આવશે નહીં. આ મામલામાં CBI તપાસ અને ફોરેન્સિક ઓડિટની માંગ સાથે હિન્દુ ધર્મ પરિષદ સહિત ચાર અરજીઓ દાખલ થઈ છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેંચ આ અરજીઓ પર સુનાવણી કરશે, જેની આગામી સુનાવણી 20મી તારીખે થશે.