પહેલગામ હુમલાને એક વર્ષ, ભાવનગરનો પરમાર પરિવાર આજે પણ આઘાતમાં
પહેલગામ હુમલાને એક વર્ષ, ભાવનગરનો પરમાર પરિવાર આજે પણ આઘાતમાં
Published on: 22nd April, 2026

પહેલગામ આતંકી હુમલાની પ્રથમ વરસીએ ભાવનગરના પરમાર પરિવારના જખમો ફરી તાજા થયા છે. આ દુર્ઘટનામાં પતિ અને પુત્ર ગુમાવનાર કિરણબેન આજે પણ માનસિક આઘાતમાં છે. તેમણે સરકાર દ્વારા મળેલી આર્થિક સહાય બદલ આભાર માન્યો છે, પરંતુ પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાનો વાયદો હજુ સુધી અધૂરો હોવાનું જણાવ્યું છે. આતંકવાદીઓને સજા અપાવવા બદલ વડાપ્રધાનનો આભાર માનવાની ઈચ્છા વ્યક્ત કરતા કિરણબેને ઉમેર્યું કે, સમય વીતવા છતાં તેમના જીવનમાં આવેલો ખાલીપો ક્યારેય ભરાશે નહીં.