પહેલગામ હુમલાને એક વર્ષ, ભાવનગરનો પરમાર પરિવાર આજે પણ આઘાતમાં
પહેલગામ આતંકી હુમલાની પ્રથમ વરસીએ ભાવનગરના પરમાર પરિવારના જખમો ફરી તાજા થયા છે. આ દુર્ઘટનામાં પતિ અને પુત્ર ગુમાવનાર કિરણબેન આજે પણ માનસિક આઘાતમાં છે. તેમણે સરકાર દ્વારા મળેલી આર્થિક સહાય બદલ આભાર માન્યો છે, પરંતુ પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાનો વાયદો હજુ સુધી અધૂરો હોવાનું જણાવ્યું છે. આતંકવાદીઓને સજા અપાવવા બદલ વડાપ્રધાનનો આભાર માનવાની ઈચ્છા વ્યક્ત કરતા કિરણબેને ઉમેર્યું કે, સમય વીતવા છતાં તેમના જીવનમાં આવેલો ખાલીપો ક્યારેય ભરાશે નહીં.
પહેલગામ હુમલાને એક વર્ષ, ભાવનગરનો પરમાર પરિવાર આજે પણ આઘાતમાં
અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ!
વૈશ્વિક પડકારો વચ્ચે પણ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતની દરિયાઈ ખાદ્ય નિકાસ ₹૭૨,૩૨૫.૮૨ કરોડની ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. અમેરિકામાં ટેરિફ સમસ્યાઓને કારણે નિકાસ ઘટવા છતાં ચીન અને અન્ય દેશોની વધતી માંગે આ ખોટ સરભર કરી છે. કુલ ૧૯.૩૨ લાખ મેટ્રિક ટન નિકાસમાં ‘ફ્રોઝન ઝીંગા’ મુખ્ય હિસ્સો ધરાવે છે, જેણે ₹૪૭,૯૭૩.૧૩ કરોડની કમાણી કરાવી છે. ભારતનું સી-ફૂડ માર્કેટ નવા દેશોમાં વિસ્તરતા નિકાસના જથ્થામાં નોંધપાત્ર વધારો થયો છે, જે દેશની આર્થિક પ્રગતિમાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે.
અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ!
પાટણ વોર્ડ 7: કોંગ્રેસનો 'છત્રી પ્રચાર' શરૂ; ગરમીમાં ઘરે-ઘરે ફરી પાણી, ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ પર પ્રહાર.
પાટણ નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ 7 માં Congressનો છત્રીઓ સાથે પ્રચાર શરૂ થયો. ભાજપના શાસનમાં ગંદા પાણી અને ભ્રષ્ટાચાર મુદ્દે Congressએ ઘરે-ઘરે ફરી વિજયી બનાવવા અપીલ કરી. 26 એપ્રિલે ચૂંટણી છે, પ્રચાર વેગવાન બન્યો છે. Congressના નેતાઓ અને કાર્યકરો આકરા તડકાથી બચવા છત્રીઓ સાથે પ્રચારમાં ઉતર્યા અને સ્થાનિક રહીશો સાથે સંવાદ સાધ્યો.
પાટણ વોર્ડ 7: કોંગ્રેસનો 'છત્રી પ્રચાર' શરૂ; ગરમીમાં ઘરે-ઘરે ફરી પાણી, ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ પર પ્રહાર.
સુરતમાં POSTAL BALLETથી મતદાન શરૂ: પોલીસ હેડક્વાર્ટરમાં જવાનોએ મતદાન કર્યું.
સુરત પોલીસ હેડક્વાર્ટરમાં POSTAL BALLETથી મતદાનનું આયોજન થયું. ચૂંટણી ફરજ પરના પોલીસકર્મીઓ અને સરકારી અધિકારીઓ માટે આ વ્યવસ્થા છે. અંદાજે 5 હજાર જેટલા કર્મચારીઓ POSTAL BALLETથી મતદાન કરશે, જેમાં પોલીસ, હોમગાર્ડ જવાનો અને અન્ય સરકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે. દરેક મતદારની એન્ટ્રીથી બેલેટ પેપર જમા કરાવવા સુધીની તમામ પ્રક્રિયા કેમેરામાં કેદ કરવામાં આવી રહી છે. POSTAL BALLETથી થયેલ મતદાનની ગણતરી સૌથી પહેલા કરવામાં આવશે.
સુરતમાં POSTAL BALLETથી મતદાન શરૂ: પોલીસ હેડક્વાર્ટરમાં જવાનોએ મતદાન કર્યું.
રાજસ્થાનના બે શખ્સો દેશી રિવોલ્વર સાથે ઝડપાયા.
વડોદરામાં ચૂંટણી પહેલાં પોલીસે બે પરપ્રાંતીય શખ્સોને ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડ્યા. SOG ટીમે બાતમીના આધારે કુરાલી ગામની સીમમાં વોચ ગોઠવી હતી. જેમાં તેઓ ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર (રિવોલ્વર) સાથે કુરાલીથી ગણપતપુરા તરફ જતા હતા. આ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજસ્થાનના બે શખ્સો દેશી રિવોલ્વર સાથે ઝડપાયા.
Operation સિંદૂર: દિલ્હી પર પાકિસ્તાની મિસાઇલ હુમલો નિષ્ફળ
Operation સિંદૂર સમયે, પાકિસ્તાની મિસાઇલ દિલ્હી તરફ વધી રહી હતી, જેને ભારતીય વાયુસેનાએ હરિયાણાના આકાશમાં જ નષ્ટ કરી દીધી. ઇન્ડિયન એરફોર્સે બરાક-8 (Barak-8) મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કરી મિસાઇલને તોડી પાડી. એર કોમોડોર રોહિત કપિલને યુદ્ધ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો. 'સુદર્શન પ્રોગ્રામ' હેઠળ સુરક્ષા કવચ મજબૂત કરાયું, જે દેશભરમાં એસ-400 (S-400) અને બરાક-8 જેવી સિસ્ટમ્સથી સજ્જ છે.
Operation સિંદૂર: દિલ્હી પર પાકિસ્તાની મિસાઇલ હુમલો નિષ્ફળ
AAP ફંડિંગ કેસ: મુખ્ય સૂત્રધાર દિલ્હી ફરાર
દિલ્હી અને સુરત વચ્ચે AAPના પોલિટિકલ ફંડિંગ પ્રકરણમાં સુરત પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દિલ્હીથી મોકલવામાં આવતા ફંડના વિતરણની જવાબદારી સંભાળતા 8-10 વ્યક્તિઓ ફરતે પોલીસે તપાસ કેન્દ્રીત કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ AAP પર સકંજો કસવાનું શરૂ કર્યું છે. દિલ્હીથી આંગડિયા મારફતે આવતું ફંડ રિસીવ કરનાર પીપલોદનો આકાશ મિશ્રા સુરત પોલીસને હાથતાળી આપીને દિલ્હી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં છેલ્લા પાંચ-છ મહિનામાં આંગડિયા મારફતે આશરે રૂ.1.25 કરોડ મોકલવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે.
AAP ફંડિંગ કેસ: મુખ્ય સૂત્રધાર દિલ્હી ફરાર
અમદાવાદ: પત્ની અને દીકરી ગુમાવનાર ગુજરાતીને Britain છોડવાનો આદેશ.
અમદાવાદ પ્લેન ક્રેશમાં પત્ની-દીકરી ગુમાવનાર વડોદરાના યુવકને British સરકારે દેશ છોડવાનો આદેશ આપ્યો છે. સ્પાઉસ વિઝા પર ગયેલા મહંમદ શેઠવાલાના વિઝા રદ થતા FLR અરજી નામંજૂર થઈ. સરકારે જણાવ્યું કે તેમનો પરિવાર ભારતમાં છે, તેથી વસવાટમાં મુશ્કેલી નહીં પડે. આ નિર્ણયની ટીકા થઈ રહી છે, કાર્યકરોએ ગૃહ મંત્રાલયને ક્રૂર ગણાવ્યું. હવે યુવક British સરકાર સામે કાયદાકીય લડત લડશે.
અમદાવાદ: પત્ની અને દીકરી ગુમાવનાર ગુજરાતીને Britain છોડવાનો આદેશ.
ગરમીમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે.
ગુજરાતમાં ઉનાળો આકરો બની રહ્યો છે, જેમાં ૨૧ એપ્રિલે અમરેલી ૪૧.૧ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. રાજસ્થાનના સૂકા અને ગરમ પવનોને કારણે આગામી દિવસોમાં તાપમાનમાં હજુ ૨ થી ૩ ડિગ્રીનો વધારો થવાની અને પારો ૪૩ ડિગ્રીને પાર પહોંચવાની આગાહી છે. ખાસ કરીને ૨૬ એપ્રિલે ચૂંટણીના દિવસે ગરમીનો પ્રકોપ વધુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે વધતા તાપમાન અને હીટવેવની સ્થિતિને ધ્યાને રાખી નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ આપી છે.
ગરમીમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે.
રાજકોટમાં એક સપ્તાહમાં 60 લોકો હિટસ્ટ્રોકનો ભોગ બન્યા
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, જેમાં અમદાવાદ, અમરેલી અને કંડલામાં પારો ૪૧ ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. રાજકોટમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે હીટ સ્ટ્રોકના અનેક કેસો નોંધાયા છે, જ્યારે વડોદરામાં ગરમીને કારણે ગભરામણ થતાં એક કલાકમાં બે લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે. હવામાન વિભાગે ૧૪૯ વર્ષ બાદ દેશમાં સૌથી ભયાનક ગરમીની આગાહી કરી છે, જેમાં તાપમાન ૪૮ થી ૫૦ ડિગ્રી સુધી જઈ શકે છે. ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગરમીની ગંભીર અસર વર્તાશે.
રાજકોટમાં એક સપ્તાહમાં 60 લોકો હિટસ્ટ્રોકનો ભોગ બન્યા
માળીયા નજીક યુવાનની છરીથી હત્યા.
માળીયામાં ધૈર્ય હોટલ પાસે યુવાન અનિલ કંડિયાની હત્યા થઈ. મિત્ર વિવેક સાથે નાસ્તો કરવા ગયેલા અનિલ પર રૂપિયાની લેતીદેતી બાબતે હુમલો થયો. સારવાર દરમિયાન રાજકોટમાં અનિલનું મોત થયું. વિવેકને પણ ઈજા થઈ છે. હત્યા પાછળ ફાયનાન્સ પેઢીની સંડોવણીની શક્યતા છે, પોલીસે તપાસ શરૂ કરી.
માળીયા નજીક યુવાનની છરીથી હત્યા.
4 મહિનામાં 31 ટુ-વ્હીલરની ચોરી:નવા નરોડામાં ગોડાઉન મેનેજરે સ્ટોક ગણતરી કરતા જાણ થઈ
અમદાવાદના નવા નરોડામાં હોન્ડા ટુ-વ્હીલરના ગોડાઉનમાંથી ૨૩.૨૫ લાખની કિંમતના ૩૧ નવા વાહનોની ચોરી થઈ છે. ૧ એપ્રિલે સ્ટોક ગણતરી દરમિયાન ૩૦ એક્ટિવા અને ૧ બાઈક ઓછા જણાતા આ છેતરપિંડીનો ખુલાસો થયો હતો. ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન હોવાથી અને ૧૦૦થી વધુ કર્મચારીઓ કાર્યરત હોવાથી ચોરી કરનાર અંગે રહસ્ય ઘેરાયું છે. નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે કે વાહનો ગોડાઉનમાંથી ચોરાયા છે કે શો-રૂમમાંથી, જે દિશામાં શોધખોળ તેજ કરી છે.
4 મહિનામાં 31 ટુ-વ્હીલરની ચોરી:નવા નરોડામાં ગોડાઉન મેનેજરે સ્ટોક ગણતરી કરતા જાણ થઈ
અમદાવાદના મેમનગરમાં વૃદ્ધનો મૃતદેહ મળતા સનસનાટી, હત્યાની આશંકા.
અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય ફ્લેટમાં એક વૃદ્ધ વ્યક્તિનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસને આ હત્યા હોવાની આશંકા છે અને તેઓએ તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.
અમદાવાદના મેમનગરમાં વૃદ્ધનો મૃતદેહ મળતા સનસનાટી, હત્યાની આશંકા.
હિંમતનગર નેશનલ હાઈવે પર બે અકસ્માત: ચાર ટ્રક અથડાઈ, એકને ઈજા; સાડા ચાર કલાકમાં ઘટના.
હિંમતનગર નજીક અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર બે અકસ્માતમાં ચાર ટ્રક અથડાઈ, એક ચાલકને ઈજા થઈ. સવારે 4:30 વાગ્યે નેશનલ હાઈવે 48 પર ડમ્પરની ટક્કરથી એક ટ્રકનું ટાયર પંચર થયું. ટાયર બદલવા ઉભેલા બીજા ટ્રકને અન્ય ટ્રકે ટક્કર મારી. ઈજાગ્રસ્ત ચાલકને હોસ્પિટલમાં ખસેડાયો, હાઈવે પેટ્રોલિંગ ટીમે કાર્યવાહી કરી અને પોલીસે તપાસ હાથ ધરી.
હિંમતનગર નેશનલ હાઈવે પર બે અકસ્માત: ચાર ટ્રક અથડાઈ, એકને ઈજા; સાડા ચાર કલાકમાં ઘટના.
સુરતમાં માતા પાસેથી બાળકીનું અપહરણ: CCTVમાં દેખાયો અપહરણકાર.
સુરતના કાપોદ્રામાં ફૂટપાથ પરથી 3 વર્ષની બાળકીનું અપહરણ થયું. CCTVમાં આરોપી દેખાયો, જે ટ્રેન દ્વારા MP તરફ ભાગી ગયો. પોલીસે 20 જવાનની ટીમ રવાના કરી છે. માતા સાથે ઝઘડો થતાં યુવતી સુરત આવી હતી. રાત્રે ઊંઘ ઉડતાં ખબર પડી કે બાળકી ગાયબ છે. પોલીસે તપાસ હાથ ધરી છે, પૂર્વનિયોજિત કાવતરું હોવાની શંકા છે. પીડિત માતા પોતાની બાળકી શોધી આપવા વિનવણી કરી રહી છે.
સુરતમાં માતા પાસેથી બાળકીનું અપહરણ: CCTVમાં દેખાયો અપહરણકાર.
પહેલગામ હુમલાને આજે એક વર્ષ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40 ટકાનો જંગી ઘટાડો
ગયા વર્ષે 22 એપ્રિલના રોજ પહેલગામની બાઈસરન વેલીમાં થયેલા ભયાનક આતંકી હુમલાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ તેની વિપરીત અસર પ્રવાસન ઉદ્યોગ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. સામાન્ય રીતે વેકેશન દરમિયાન કાશ્મીર જવા માટે ગુજરાતીઓની પડાપડી થતી હોય છે. આંકડાઓ મુજબ એપ્રિલ-મે મહિનામાં દર વર્ષે 50 થી 70 હજાર ગુજરાતીઓ કાશ્મીર પહોંચતા હતા. આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 40% સુધીનો ઘટાડો નોંધાયો છે. જે પ્રવાસીઓ કાશ્મીર જાય છે, તેમાંથી 20% લોકો સુરક્ષાના કારણે પહેલગામ જવાનું ટાળી રહ્યા છે અને માત્ર શ્રીનગર, ગુલમર્ગ કે સોનમર્ગની મુલાકાત લઈ પરત ફરે છે.
પહેલગામ હુમલાને આજે એક વર્ષ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40 ટકાનો જંગી ઘટાડો
TCS કેસ: નિદા ખાન પર જબરદસ્તી ધર્માંતરણનો આરોપ, ધરપકડથી બચવા બે મહિનાની ગર્ભાવસ્થાનું કારણ આપી જામીન માંગ્યા.
નાસિકની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)માં યૌન ઉત્પીડન કેસમાં આરોપી નિદા ખાન ફરાર છે, પોલીસનો દાવો છે કે તે જબરદસ્તી ધર્માંતરણમાં પણ સામેલ હતી. આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે, કારણ કે નિદાએ બે મહિનાની ગર્ભાવસ્થા બતાવી જામીન માંગ્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ થઈ છે. TCS એ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી આરોપીઓને સસ્પેન્ડ કર્યા છે.
TCS કેસ: નિદા ખાન પર જબરદસ્તી ધર્માંતરણનો આરોપ, ધરપકડથી બચવા બે મહિનાની ગર્ભાવસ્થાનું કારણ આપી જામીન માંગ્યા.
22K 24K Gold Price Today: સોના ચાંદીની કિંમતમાં વધારો, જાણી લો 22 એપ્રિલનો લેટેસ્ટ રેટ
બુધવાર, ૨૨ એપ્રિલના રોજ ઘરેલુ વાયદા બજાર (MCX)માં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. સોનાનો વાયદો પ્રતિ ૧૦ ગ્રામ ₹૧,૫૩,૦૦૦ ને પાર પહોંચ્યો છે, જ્યારે ગુજરાતના મુખ્ય શહેરોમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ₹૧,૫૪,૮૦૦ અને ૨૨ કેરેટનો ભાવ ₹૧,૪૧,૯૦૦ રહ્યો છે. ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી છે, જેમાં મુંબઈ અને દિલ્હીમાં ૧૦ ગ્રામ ચાંદી ₹૨,૬૫૦ માં વેચાઈ રહી છે. વૈશ્વિક સ્થિતિ અને માર્કેટ સેન્ટિમેન્ટને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
22K 24K Gold Price Today: સોના ચાંદીની કિંમતમાં વધારો, જાણી લો 22 એપ્રિલનો લેટેસ્ટ રેટ
જામનગર મનપા ચૂંટણી: મતદાન મથકોનું માર્કિંગ શરૂ, 100 મીટર વિસ્તારનું મેપિંગ, વહીવટી તંત્ર સતર્ક.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે વહીવટી તંત્ર સક્રિય; મતદાન સુચારુ કરવા તૈયારી તેજ. શહેરમાં મતદાન મથકો ઊભાં કરવાની સાથે 100 મીટર વિસ્તારનું મેપિંગ અને ગ્રાઉન્ડ માર્કિંગ શરૂ. 16 વોર્ડ માટે ચાર ટીમો બની, જે 100 મીટર સુધી માપણી કરી સફેદ રંગથી MARKING કરી રહી છે. District Collector પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે.
જામનગર મનપા ચૂંટણી: મતદાન મથકોનું માર્કિંગ શરૂ, 100 મીટર વિસ્તારનું મેપિંગ, વહીવટી તંત્ર સતર્ક.
ભરૂચ પોલીસ હેડક્વોર્ટર્સમાં પોસ્ટલ બેલેટ મતદાન: ચૂંટણી ફરજ પરના સુરક્ષાકર્મીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો.
ભરૂચ પોલીસ હેડક્વોર્ટર્સ ખાતે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 માટે પોસ્ટલ બેલેટથી મતદાન થયું. Election duty પરના Police, Home Guard અને GRD જવાનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ વ્યવસ્થા કરાઈ હતી. મોટી સંખ્યામાં અધિકારીઓ અને જવાનોએ શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું. પોસ્ટલ બેલેટની સુવિધા ચૂંટણી ફરજને કારણે મતદાન કેન્દ્ર પર હાજર ન રહી શકતા સુરક્ષા કર્મચારીઓ માટે ઉપલબ્ધ કરાવાઈ હતી.
ભરૂચ પોલીસ હેડક્વોર્ટર્સમાં પોસ્ટલ બેલેટ મતદાન: ચૂંટણી ફરજ પરના સુરક્ષાકર્મીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો.
બંગાળમાં ‘મત્સ્યવેધ’: માછલી મુદ્દે મમતા બેનરજી અને PM મોદી આમને-સામને
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષોએ મતદારોને રિઝવવા માટે બંગાળી જીવનશૈલી અને સંસ્કૃતિના પાયાની ચીજ એવી 'માછલી'ને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવ્યો છે. TMCના વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો છે કે ભાજપ બંગાળી જીવનશૈલી અને સંસ્કૃતિ માટે ખતરો છે. મચ્છી-ભાત સાથે કોઈ સમજૂતી નહીં થાય. ભાજપ તમને માછલી ખાવા દેશે નહીં. ભાજપ તમને ઈંડા અને માંસ પણ ખાવા દેશે નહીં. બંગાળ માછલી-ભાત પર નિર્ભર છે. જો આપણે એ નહીં ખાઈએ તો શું ખાશું?
બંગાળમાં ‘મત્સ્યવેધ’: માછલી મુદ્દે મમતા બેનરજી અને PM મોદી આમને-સામને
કોંગ્રેસે પાલનપુર માટે મેનિફેસ્ટો જાહેર કર્યો.
બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કોંગ્રેસે પાલનપુર શહેર માટે સર્વાંગી વિકાસલક્ષી મેનિફેસ્ટો જાહેર કર્યો છે. જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓના કાયમી ઉકેલ સાથે ૧૧ વોર્ડમાં ‘મોહલ્લા ક્લિનિક’ અને વિદ્યાર્થીઓ માટે આધુનિક લાઈબ્રેરી સ્થાપવાનું વચન આપ્યું છે. કોંગ્રેસે ભ્રષ્ટાચાર મુક્ત પારદર્શક વહીવટ, ટેન્ડર પ્રક્રિયામાં પ્રામાણિકતા અને દર ત્રણ મહિને ‘લોકસંવાદ’ યોજી પ્રશ્નોના નિકાલની ખાતરી આપી છે. આ મેનિફેસ્ટોમાં સામાન્ય નાગરિકોની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને શહેરના વિકાસનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસે પાલનપુર માટે મેનિફેસ્ટો જાહેર કર્યો.
પેટ્રોલ ભૂલી જાઓ! 85 ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ
પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ અને ઓઇલના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે ભારતે ઈંધણના ક્ષેત્રમાં એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લેવાની તૈયારી કરી લીધી છે. અત્યાર સુધી દેશમાં 20% ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ(E20)ની ચર્ચા થતી હતી, પરંતુ હવે સરકાર સીધું E85 ફ્યુલ લાવવાનો ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. આ નવા બદલાવનો અર્થ એ છે કે હવે ગાડીઓમાં પેટ્રોલ ઓછું અને ઈથેનોલનું પ્રમાણ વધારે હશે. અહેવાલો મુજબ, સરકાર ટૂંક સમયમાં E85 ફ્યુલ અંગેના નિયમો જાહેર કરી શકે છે, જેના પર આંતરિક સંમતિ બની ચૂકી છે અને પ્રાથમિક ટેસ્ટિંગ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
પેટ્રોલ ભૂલી જાઓ! 85 ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ
સુરતમાં 'ભૂતિયા સાયકલ': AIથી ચાલક વગર પેડલ મારે, વળાંક લે, ટેક્નોલોજી જોઈ લોકો દંગ રહી ગયા.
સુરતના શિવમ મૌર્યએ અનોખી સાયકલ બનાવી, જે ડ્રાઈવર વગર ચાલે છે, લોકો તેને 'Ghost Cycle' કહે છે. 3 મહિનાની મહેનત અને AIથી બનેલી આ સાયકલ જાતે જ બેલેન્સ જાળવે છે અને રસ્તા પર ચાલે છે. તેમાં માણસ જેવા પગ પેડલ મારે છે, જે જોઈને બાળકો ડરી ગયા હતા. આ સાયકલ MOBILE APP, રિમોટ અથવા AI MAPPINGથી ચાલે છે. શિવમે પહેલાં પણ 'Garuda AI Bike' બનાવી હતી. આ ટેક્નોલોજીનો ઉપયોગ CONTACTLESS DELIVERY અને સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન માટે થઈ શકે છે.
સુરતમાં 'ભૂતિયા સાયકલ': AIથી ચાલક વગર પેડલ મારે, વળાંક લે, ટેક્નોલોજી જોઈ લોકો દંગ રહી ગયા.
પહેલગામ હત્યાકાંડની પ્રવાસન પર એક વર્ષ પછીની અસર.
ગયા વર્ષે પહેલગામમાં આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા. આ ઘટનાથી પહેલગામ અને સમગ્ર ભારત હચમચી ગયું હતું. આ હત્યાકાંડની પહેલગામના TOURISM INDUSTRY પર ઘણી અસર થઈ છે. ઘટનાને એક વર્ષ પૂર્ણ થયા બાદ, ચાલો જોઈએ કે પહેલગામની આજની પરિસ્થિતિ કેવી છે અને પ્રવાસન ઉદ્યોગ ફરીથી પાટા પર આવી રહ્યો છે કે નહીં.
પહેલગામ હત્યાકાંડની પ્રવાસન પર એક વર્ષ પછીની અસર.
જામનગર પોલીસની સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ.
જામનગર જિલ્લામાં ચૂંટણીને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા માટે પોલીસે સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ કરી. દરેડ અને મસીતિયામાં કાર્યવાહી કરાઈ. MV Act હેઠળ કેસ નોંધાયા. દારૂબંધીના કેસ દાખલ કરાયા. બુટલેગરોના રહેઠાણો ચકાસાયા, ટપોરીઓની તપાસ, હિસ્ટ્રીશીટરોની ચકાસણી અને MCR ચેકિંગ કરાયું. LCB, SOG અને પંચ બી ડિવિઝન પોલીસ સ્ટાફે કામગીરી કરી. આવી ડ્રાઈવ ચાલુ રાખવાની પોલીસે પ્રતિબદ્ધતા દર્શાવી.
જામનગર પોલીસની સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ.
મેમનગરમાં ખૂની ખેલ: અજાણ્યા શખ્સે વૃદ્ધની હત્યા કરી, સોસાયટીનો જ માણસ શંકાના દાયરામાં.
અમદાવાદના મેમનગરમાં સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાં 55 વર્ષીય કાનજીભાઈની હત્યા થઈ. તેઓ કોમન પાર્કિંગમાં રહેતા હતા અને છૂટક મજૂરી કરતા હતા. CCTV ફૂટેજમાં એક શખ્સ તેમને મારી રહ્યો હોવાનું દેખાય છે. પોલીસે CCTV ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી છે. સોસાયટીના રહીશોની પૂછપરછ ચાલુ છે, સિક્યુરિટી ગાર્ડના નિવેદન મુજબ કોઈ અજાણ્યો શખ્સ આવ્યો નહોતો, જેથી ફ્લેટનો જ કોઈ વ્યક્તિ શંકાના ઘેરામાં છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
મેમનગરમાં ખૂની ખેલ: અજાણ્યા શખ્સે વૃદ્ધની હત્યા કરી, સોસાયટીનો જ માણસ શંકાના દાયરામાં.
પહેલગામ આતંકી હુમલાને એક વર્ષ: સેનાએ ન્યાયની ખાતરી આપી, મોદીએ આતંકવાદ સામે ભારત અડગ હોવાનું જણાવ્યું.
પહેલગામ આતંકી હુમલાની પ્રથમ વરસી પર કાશ્મીરના ટુરિસ્ટ સ્પોટ્સ પર સુરક્ષા વધારાઈ છે. PM મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને આતંકવાદ સામે ભારતની અડગતા વ્યક્ત કરી. હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો આજે પણ પીડા અનુભવી રહ્યા છે, અને તેઓ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. Lt. વિનય નરવાલના પિતાએ પુત્રની યાદમાં મેડિકલ કોલેજનું નામ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી. બિટાન અધિકારીની માતા મીઠાઈ બનાવવાનું ટાળે છે. સંતોષ જગદાલેએ દીકરીને બચાવી. શુભમ દ્વિવેદીનો પરિવાર દર મહિને ભોજન કરાવે છે.
પહેલગામ આતંકી હુમલાને એક વર્ષ: સેનાએ ન્યાયની ખાતરી આપી, મોદીએ આતંકવાદ સામે ભારત અડગ હોવાનું જણાવ્યું.
અમદાવાદના બાપુનગરમાં ચૂંટણી અધિકારી વગર બેલેટ પર સિક્કા માર્યાના આક્ષેપ, કોંગ્રેસના ધરણાં.
અમદાવાદના બાપુનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગેરરીતિના આક્ષેપોથી રાજકીય માહોલ ગરમાયો છે. બાપુનગર હોમગાર્ડ ઓફિસમાં ચૂંટણી અધિકારીની ગેરહાજરીમાં બેલેટ પેપર પર સિક્કા મરાતા હોવાનો કોંગ્રેસે વિરોધ કર્યો છે. Homeguard જવાનો માટે બેલેટ પેપરથી મતદાનનું આયોજન કરાયું હતું.
અમદાવાદના બાપુનગરમાં ચૂંટણી અધિકારી વગર બેલેટ પર સિક્કા માર્યાના આક્ષેપ, કોંગ્રેસના ધરણાં.
અમેરિકા છોડવા માંગે છે 40% ભારતીયો, કાર્નેગી સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
કાર્નેગી એન્ડોમેન્ટના ૨૦૨૬ના સર્વે મુજબ, દર ૧૦માંથી ૪ ભારતીય-અમેરિકનો હવે 'અમેરિકન ડ્રીમ' છોડી ભારત પરત આવવાનું વિચારી રહ્યા છે. રાજકીય અસ્થિરતા, ગ્રીન કાર્ડ માટેની ૭૦ વર્ષ લાંબી પ્રતીક્ષા અને વધતી મોંઘવારી આ પરિવર્તન પાછળના મુખ્ય કારણો છે. ખાસ કરીને ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓથી ૭૧% ભારતીયો અસંતુષ્ટ છે. બીજી તરફ, ભારતની મજબૂત અર્થવ્યવસ્થા અને ટેક હબ્સ આકર્ષણનું કેન્દ્ર બનતા હવે ‘રિવર્સ માઈગ્રેશન’નો ટ્રેન્ડ તેજ બન્યો છે, જે અમેરિકા માટે ચિંતાનો વિષય છે.
અમેરિકા છોડવા માંગે છે 40% ભારતીયો, કાર્નેગી સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
મહેસાણાના 14 ગામના ખેડૂતોનું આંદોલન સફળ, CM સાથે બેઠકમાં 80 meter રોડ રદ કરવાની ખાતરી, વિચારણા ચાલુ.
મહેસાણામાં 80 meter રિંગ રોડ અને TP-DP સ્કીમ વિરુદ્ધ 14 ગામના ખેડૂતોનું આંદોલન સફળ થયું છે. CM ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં 80 meter રોડ રદ કરવાની ખાતરી મળતા ખેડૂતોએ રાહત અનુભવી છે. સરકારે એગ્રીકલ્ચર ઝોન યથાવત રાખવા અને નવી TP સ્કીમમાં ખેડૂતોને સાથે રાખવાની ખાતરી આપી છે. આંદોલન ચાલુ રાખવું કે બંધ કરવું એ અંગે ખેડૂતો વિચારણા કરશે. જરૂર પડ્યે ફરી આંદોલન માટે પણ તૈયારી છે.