નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ હરિદ્વારમાં ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું
નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ હરિદ્વારમાં ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું
Published on: 18th September, 2026

નોઈડાના ચર્ચાસ્પદ નિઠારી હત્યાકાંડના તમામ કેસોમાંથી નિર્દોષ છૂટેલા સુરેન્દ્ર કોલીએ હરિદ્વારમાં પોતાની ચાની દુકાનમાં ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી છે. અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટે તેને પુરાવાના અભાવે તમામ કેસોમાં દોષમુક્ત જાહેર કર્યો હતો. Police ને ઘટનાસ્થળેથી મળેલા ઓળખપત્ર પરથી તેની ઓળખ નિઠારી કેસના આરોપી તરીકે થઈ. તપાસ એજન્સીઓની નબળી કામગીરી અને પુરાવાના અભાવે અસલી ગુનેગાર કોણ હતો તે એક વણઉકેલાયેલું રહસ્ય બની ગયું છે.