વિશ્વામિત્રીમાં છોડાયેલો 8 ફૂટનો મગર મૃત હાલતમાં મળ્યો
વિશ્વામિત્રીમાં છોડાયેલો 8 ફૂટનો મગર મૃત હાલતમાં મળ્યો
Published on: 16th June, 2026

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં 8 ફૂટનો મગર મૃત હાલતમાં મળી આવતાં ચિંતા પ્રસરી છે. એક અઠવાડિયા પહેલા ગુપ્તાંગની ગંભીર ઇજાની સારવાર બાદ સ્વસ્થ જાહેર કરી નદીમાં છોડાયેલો આ મગર ટૂંકા ગાળામાં મૃત મળ્યો. પોસ્ટમોર્ટમમાં આંતરિક અંગોમાં હેમરેજ અને લોહી વહી જવાનું મોતનું કારણ સામે આવ્યું. મોટાભાગે ‘મેલ મગર ફાઇટિંગ'ના કારણે શરીર પર ઈજાઓ થાય છે, જેના પગલે સેપ્ટિસેમિયા થવાથી મગરોના મૃત્યુ થાય છે.