વઢવાણમાં મહારાણા પ્રતાપ જન્મજયંતિ મહોત્સવ, ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય આયોજન
વઢવાણમાં મહારાણા પ્રતાપ જન્મજયંતિ મહોત્સવ, ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય આયોજન
Published on: 16th June, 2026

ઝાલાવાડ ક્ષત્રિય સમાજની સંસ્થાઓ દ્વારા વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહની જન્મજયંતિ (તિથિ મુજબ) નિમિત્તે ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે. આ મહોત્સવ 17 જૂન, 2026 (બુધવાર) ના રોજ વઢવાણ ખાતે સવારે 10:00 કલાકે ધોળીપોળ સ્થિત મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે યોજાશે. મહારાણા પ્રતાપ શૌર્ય, સ્વાભિમાન અને રાષ્ટ્રભક્તિના પ્રતીક છે. તેમનું સમગ્ર રાષ્ટ્ર અને સર્વ સમાજ માટેનું યોગદાન અમૂલ્ય છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહાન રાષ્ટ્રનાયકને યાદ કરી, તેમના શૌર્યમાંથી પ્રેરણા લેવાનો છે. સર્વે નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી, રાણા પ્રતાપની વીરતાને યાદ કરી, દેશને ઉજ્જવળ બનાવવાનો સંકલ્પ લેવા અપીલ કરાય છે.