ભરૂચના કંથારિયા ગામમાં મકાનમાં આગ, ગેસ સિલિન્ડર ફાટતાં ભયનો માહોલ સર્જાયો
ભરૂચના કંથારિયા ગામમાં મકાનમાં આગ, ગેસ સિલિન્ડર ફાટતાં ભયનો માહોલ સર્જાયો
Published on: 16th June, 2026

ભરૂચ તાલુકાના કંથારિયા ગામમાં મસ્જિદ-મદરેસા સંચાલિત રહેણાક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આગ દરમિયાન ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો. સ્થાનિક લોકોએ તાત્કાલિક આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા. કેટલાક લોકો દાઝ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, પરંતુ સત્તાવાર રીતે ઇજાગ્રસ્તોની સંખ્યા જાહેર થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. ફાયર બ્રિગેડ અને સંબંધિત તંત્ર સ્થળ પર પહોંચી બચાવ કામગીરીમાં જોડાયું.