સંયુક્ત કુટુંબો તૂટવાથી વડીલોમાં એકલતા વધી: M.S. Universityના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો
સંયુક્ત કુટુંબો તૂટવાથી વડીલોમાં એકલતા વધી: M.S. Universityના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો
Published on: 11th June, 2026

વડોદરામાં M.S. University દ્વારા કરાયેલા સંશોધન મુજબ, સંયુક્ત કુટુંબો ઘટવાને કારણે વડીલોમાં એકલતા અને વૃદ્ધાશ્રમોની જરૂરિયાત વધી રહી છે. અભ્યાસ દર્શાવે છે કે 82.6% મધ્યમ વયના લોકો અને 76.3% વૃદ્ધો હવે માને છે કે માતા-પિતાની સેવા ફક્ત પુત્રવધૂની જ નહીં, પરંતુ પુત્ર અને પુત્રવધૂ બંનેની સમાન જવાબદારી છે. 87.4% મધ્યમ વયના નાગરિકો અને 77.5% વૃદ્ધો સ્વીકારે છે કે પરણિત દીકરી અને જમાઈ પણ વડીલોની યોગ્ય સંભાળ રાખી શકે છે. સંતાનોના સ્થળાંતર અને જનરેશન ગેપને એકલતાના મુખ્ય કારણો ગણાવ્યા છે.