સુરતમાં 'ભૂતિયા ડિમોલિશન' મામલે મનપાનો દાવો: કાર્યવાહી સંપૂર્ણપણે કાયદેસર.
સુરતમાં 'ભૂતિયા ડિમોલિશન' મામલે મનપાનો દાવો: કાર્યવાહી સંપૂર્ણપણે કાયદેસર.
Published on: 11th June, 2026

સુરતના કતારગામ ઝોનમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન મામલે 12 દિવસના મૌન બાદ સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) એ મોટો ખુલાસો કર્યો છે. મનપાના અધિકારી આશિષ નાયકે જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયા પર 'ભૂતિયા ડિમોલિશન' તરીકે ચર્ચાઈ રહેલી કાર્યવાહી હકીકતમાં સંપૂર્ણપણે કાયદેસર અને વહીવટી પ્રક્રિયા હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, ટીમે કાયદેસરની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો સાથે કાર્યવાહી કરી હતી. આ ખોટા પ્રચારથી અધિકારીઓ તણાવમાં છે. આ ખુલાસા બાદ રાજકારણ ગરમાયું છે અને પૂર્વ મંત્રી વિનુ મોરડિયાએ સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ ન યોજવા પર સવાલો ઉઠાવ્યા છે.