દિવાળીએ ઉત્તર ભારતીયો માટે ગુજરાતથી 22 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો રેલવેનો નિર્ણય
દિવાળીએ ઉત્તર ભારતીયો માટે ગુજરાતથી 22 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો રેલવેનો નિર્ણય
Published on: 13th September, 2026

દિવાળી અને છઠ પૂજાના તહેવારો નિમિત્તે ગુજરાતમાં રહેતા ઉત્તર ભારતીય પરિવારોની વતન જવાની તૈયારીઓ તેજ બની છે. મુસાફરોનો ધસારો પહોંચી વળવા રેલવે તંત્ર દ્વારા ગુજરાતથી ઉત્તર પ્રદેશ તરફ 11 જોડી અર્થાત્ 22 વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેનો 1 ઓક્ટોબરથી 1 ડિસેમ્બર, 2026 દરમિયાન દોડશે, જે કુલ 113 ફેરા મારશે. ઓનલાઇન ટિકિટ બુકિંગમાં 200 થી વધુનું વેટિંગ લિસ્ટ જોવા મળ્યા બાદ આ આયોજન કરાયું છે. આ ટ્રેનો મુખ્યત્વે કાનપુર, આગ્રા, પ્રયાગરાજ અને સુબેદારગંજ જેવા શહેરો તરફ જશે.