ગુજરાતના ૧૧ જિલ્લા, ૩૦ તાલુકામાં મેઘમહેર
ગુજરાતના ૧૧ જિલ્લા, ૩૦ તાલુકામાં મેઘમહેર
Published on: 13th September, 2026

ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના કુલ ૧૧ જિલ્લાઓના ૩૦ તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે, જેમાં જનજીવન પ્રભાવિત થયું છે. તાપી જિલ્લાના ઉકાઈમાં સૌથી વધુ ૧૧.૮૧ ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં ૮.૩૫ ઈંચ અને ડાંગ જિલ્લાના સુબીરમાં ૫.૭૧ ઈંચ વરસાદ નોંધાયો છે. અન્ય વિસ્તારો જેવા કે વઘઈ, સોનગઢ, ચોર્યાસી, ડાંગ-આહવા, દેડિયાપાડા, ઉચ્છલ, ભરૂચ, નર્મદા, નવસારી, ભાવનગર, ખેડા, આણંદ અને પંચમહાલ જિલ્લાઓમાં પણ વરસાદનું જોર જોવા મળ્યું છે.