અમદાવાદમાં ટ્રાફિક ઘટાડવા કેપ્સ્યૂલ ફોર્મ્યૂલાનો અમલ
અમદાવાદમાં ટ્રાફિક ઘટાડવા કેપ્સ્યૂલ ફોર્મ્યૂલાનો અમલ
Published on: 13th September, 2026

અમદાવાદ શહેરના ગંભીર ટ્રાફિક પ્રશ્નોના નિરાકરણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા 'સિગ્નલ ફ્રી જંક્શન મોડલ' એટલે કે કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો અમલ વિસ્તારી રહ્યો છે. આ પદ્ધતિ ચાર રસ્તા પર ટ્રાફિકને સતત ચાલતો રાખે છે, જેનાથી વાહનચાલકોનો સમય બચે છે. પાંચ સ્થળોએ સફળ પ્રયોગ બાદ હવે ઈસનપુરમાં પણ ચાર રસ્તાનો કટ કાયમી ધોરણે બંધ કરાયો છે. અગાઉ 15 મિનિટ લાગતા રસ્તા પર હવે માત્ર 2 મિનિટમાં પસાર થઈ શકાય છે. શહેરમાં આવા 6 સ્થળોએ અમલવારી થઈ ચૂકી છે.