ગુજરાતના 800થી વધુ બાળકોને મોબાઇલનું વળગણ છોડાવવા પડી સારવાર
ગુજરાતના 800થી વધુ બાળકોને મોબાઇલનું વળગણ છોડાવવા પડી સારવાર
Published on: 13th September, 2026

ગુજરાતમાં બાળકોમાં મોબાઇલનું વળગણ ચિંતાજનક બન્યું છે, છેલ્લા પાંચ વર્ષમાં 800થી વધુ બાળકોને ડિજિટલ ડિટોક્સ સેન્ટરમાં સારવાર લેવી પડી છે. આ સમસ્યાના કારણે બાળકોમાં માનસિક તણાવ અને આત્મહત્યાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. સુરતમાં ધોરણ-5ની વિદ્યાર્થીની અને 13 વર્ષના બાળકે મોબાઇલના વિવાદમાં જીવન ટૂંકાવ્યું. અમદાવાદના ડિજિટલ ડિટોક્સ સેન્ટરમાં 8 મહિનામાં 188 બાળકો નોંધાયા. નિષ્ણાતો માને છે કે પ્રેમપૂર્વક વાતચીત અને પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરવો એ આ લત છોડાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે.