સુરેન્દ્રનગર ડેપોમાં ડ્રાઈવર વિનાની બસ રિવર્સમાં દોડી
સુરેન્દ્રનગર ડેપોમાં ડ્રાઈવર વિનાની બસ રિવર્સમાં દોડી
Published on: 03rd June, 2026

સુરેન્દ્રનગર એસ.ટી. ડેપોમાં ડ્રાઈવરની ગંભીર બેદરકારીને કારણે એક મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઈ. મુસાફરો વિનાની એક એસ.ટી. બસ ઢાળ પરથી પાછળની તરફ સરકીને મુખ્ય માર્ગ પર આવી પહોંચી હતી. મુસાફરોને ઉતાર્યા બાદ ડ્રાઈવરે હેન્ડબ્રેક લગાવ્યા વિના શૌચાલય જવા નીકળી ગયો હતો. આ બેદરકારીના કારણે બસ લગભગ 50 ફૂટ પાછળ સરકી, એક રિક્ષા અને સીસીટીવી પોલ સાથે અથડાઈને ઊભી રહી. સદનસીબે, બસ ડિવાઈડર કૂદીને દીવાલે ભટકાતા અટકી, મોટી જાનહાનિ ટળી. આ મામલે તપાસ શરૂ કરાઈ છે.