ખોડલધામ દશાબ્દી મહોત્સવ આમંત્રણ રથ પાટણ પહોંચ્યો
ખોડલધામ દશાબ્દી મહોત્સવ આમંત્રણ રથ પાટણ પહોંચ્યો
Published on: 03rd June, 2026

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આયોજિત દશાબ્દી મહોત્સવના પ્રચાર માટે નીકળેલ આમંત્રણ રથ પાટણ પહોંચ્યો. આ રથ શહેરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ કરી ભક્તોને 19 થી 21 જાન્યુઆરી 2027 દરમિયાન યોજાનાર આ ઐતિહાસિક મહોત્સવમાં જોડાવા આમંત્રણ આપી રહ્યો છે. રથનું ભવ્ય સ્વાગત, સમૂહ આરતી અને રાસ-ગરબા જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ રથ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મહોત્સવનો સંદેશ લોકો સુધી પહોંચાડી રહ્યો છે.