વસ્તી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાનો સળગેલો મૃતદેહ મળ્યો
વસ્તી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાનો સળગેલો મૃતદેહ મળ્યો
Published on: 03rd June, 2026

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કેલિયા વાસણા અને શેખડી ગામ વચ્ચે નર્મદા કેનાલ પાસે એક શિક્ષિકાનો સળગેલો મૃતદેહ મળ્યો છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના ઘાતકી હત્યાનો કેસ હોવાનું જણાઈ રહ્યું છે. મૃતક શિક્ષિકા રીનાબેન બળદેવભાઈ ઝાલા, જેઓ ચલોડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા, તેઓ વસ્તી ગણતરીના કામ માટે ગયા હતા. મોડી સાંજ સુધી ઘરે ન ફરતા પરિવારે તેમની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ખેડૂતની નજર મૃતદેહ પર પડતાં પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ડોગ સ્ક્વોડ અને FSLની મદદથી તપાસ શરૂ કરી છે.