જુનાગઢ ઝેરી પીણું કેસ: મિથેનોલ ન મળતા તર્કવિતર્ક, 2 દર્દી વેન્ટિલેટર પર
જુનાગઢ ઝેરી પીણું કેસ: મિથેનોલ ન મળતા તર્કવિતર્ક, 2 દર્દી વેન્ટિલેટર પર
Published on: 03rd June, 2026

જુનાગઢમાં ઝેરી પીણું પીવાથી ચાર લોકો ગંભીર રીતે અસરગ્રસ્ત થયા છે. ફોરેન્સિક રિપોર્ટમાં શંકાસ્પદ પદાર્થમાં 'મિથેનોલ' ન મળતા રહસ્ય ઘેરું બન્યું છે. સામાન્ય રીતે લઠ્ઠો બનાવવા માટે મિથેનોલ જવાબદાર હોય છે, પરંતુ તેની ગેરહાજરીએ પોલીસ અને તંત્રને નવા સવાલો સામે ઊભા કર્યા છે. શું આ અગરબત્તી બનાવવામાં વપરાતા કેમિકલનું પરિણામ છે? અસરગ્રસ્તોમાંથી બે દર્દીઓની હાલત ગંભીર છે અને તેઓ વેન્ટિલેટર પર છે, જ્યારે અન્ય બે સુધારા પર છે. પોલીસે સપ્લાયર શોધવા સઘન તપાસ શરૂ કરી છે.