સુરેન્દ્રનગરના યુવાનને ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સજા
સુરેન્દ્રનગરના યુવાનને ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સજા
Published on: 15th July, 2026

સુરેન્દ્રનગરમાં રહેતા સંજયસિંહ વાઘેલાએ પોતાના મિત્ર જયદીપ સારોલા પાસેથી વર્ષ 2022-2023માં રૂ. 1.25 લાખ ઉધાર લીધા હતા. જયદીપે જૂન 2024 પહેલા તમામ રકમ પરત કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ જુલાઈ 2024માં માંગતા તે ટાળતો રહ્યો. આખરે, જયદીપે રૂ. 25,000 રોકડા અને રૂ. 1 લાખનો ચેક આપ્યો, જે અપૂરતા ભંડોળને કારણે બેંકમાંથી પરત ફર્યો. આથી, સંજયસિંહે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. સુરેન્દ્રનગર ચીફ કોર્ટમાં ચાલેલા કેસ બાદ, આરોપી જયદીપ સારોલાને 1 વર્ષની સજા ફટકારવામાં આવી છે.