ખુલ્લી ગટરોથી ત્રસ્ત માનદરવાજાના લોકો.
ખુલ્લી ગટરોથી ત્રસ્ત માનદરવાજાના લોકો.
Published on: 19th April, 2026

સુરતમાં ચૂંટણી ટાણે સ્વચ્છતાના દાવા પોકળ! વોર્ડ નં. 20માં આરોગ્ય કચેરી કચરાથી ખદબદે છે, ખુલ્લી ગટરોથી લોકો પરેશાન છે. સ્થાનિકો મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી રહ્યા છે, અને કોર્પોરેટરો ફરકતા પણ નથી. કરોડોના ખર્ચે બનેલું શૌચાલય કચરાપેટી બન્યું છે, અને ગંદકીથી રોગચાળો ફેલાવવાનો ભય છે. સ્થાનિકોએ કોર્પોરેટરોની નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કર્યો છે.