ધંધૂકામાં નજીવી બાબતે યુવાનની હત્યા થતા તંગદિલી, પોલીસ કાફલો ખડકાયો, પેટ્રોલિંગ હાથ ધરાયું.
ધંધૂકામાં નજીવી બાબતે યુવાનની હત્યા થતા તંગદિલી, પોલીસ કાફલો ખડકાયો, પેટ્રોલિંગ હાથ ધરાયું.
Published on: 19th April, 2026

અમદાવાદના ધંધૂકા શહેરમાં બાઇક ઓવરટેક કરવા બાબતે બોલાચાલી બાદ મારામારી થતા યુવાનની હત્યા થઈ. ત્યારબાદ અસામાજિક તત્વોએ દુકાનોમાં આગ લગાવી તોડફોડ કરી, જેના કારણે ભયનો માહોલ ફેલાયો. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો તૈનાત કરાયા છે અને પેટ્રોલિંગ ચાલુ છે. નાગરિકોને શાંતિ જાળવવા અપીલ કરાઈ છે.