'ભાજપને ગાળો દેવાવાળાને ભાજપ ખરીદી નેતા બનાવે છે': કાનાણી પર AAPના મનોજ સોરઠીયાના આકરા પ્રહારો.
'ભાજપને ગાળો દેવાવાળાને ભાજપ ખરીદી નેતા બનાવે છે': કાનાણી પર AAPના મનોજ સોરઠીયાના આકરા પ્રહારો.
Published on: 17th April, 2026

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સુરતમાં રાજકીય માહોલ ગરમાયો છે, જેમાં AAP અને ભાજપ આક્ષેપ-પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે. મનોજ સોરઠીયાએ કુમાર કાનાણી પર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપના નેતાઓ ભાન ભૂલ્યા છે અને ગાળો પર ઉતરી આવ્યા છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે AAPની ગ્રાન્ટના કામો ભાજપ પોતાની પત્રિકામાં છપાવે છે. જો ભાજપ 'ભૂપત વાળી' કરશે, તો જનતા 'વિસાવદર વાળી' કરશે.