અસારવામાં ભાજપ સામે આક્રોશ: 'તકલીફમાં આવ્યા નહીં ને અત્યારે લશ્કર લઈ નીકળ્યા'
અસારવામાં ભાજપ સામે આક્રોશ: 'તકલીફમાં આવ્યા નહીં ને અત્યારે લશ્કર લઈ નીકળ્યા'
Published on: 17th April, 2026

અમદાવાદના અસારવા વોર્ડમાં ભાજપના નેતાઓ મત માંગવા ગયા તો સ્થાનિકો ભડક્યા. લોકોએ કહ્યું કે તકલીફમાં આવ્યા નહીં અને અત્યારે લશ્કર લઈને નીકળી પડ્યા છો, તમને શરમ આવવી જોઈએ. ગટરના ગંદા પાણીથી લોકો ત્રસ્ત છે, પણ કોર્પોરેટરે મદદ કરી ન હતી. BJP કાર્યકરોને સોસાયટીમાં ઘૂસવા દીધા નહિ અને 'BJP ભગાવો' ના નારા લાગ્યા. આ ઘટનાનો VIDEO viral થયો છે.