સોમનાથ: ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ, અમદાવાદના શિવભક્ત દ્વારા 12 વર્ષથી વિનામૂલ્યે ફરાળ પ્રસાદ.
સોમનાથ: ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ, અમદાવાદના શિવભક્ત દ્વારા 12 વર્ષથી વિનામૂલ્યે ફરાળ પ્રસાદ.
Published on: 04th August, 2025

શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ છે. અમદાવાદના શિવભક્ત શશીકાંત પટેલ અને મિત્રો 12 વર્ષથી યાત્રિકોને વિનામૂલ્યે ફરાળ પ્રસાદ આપે છે. હજારો શ્રદ્ધાળુઓ લાભ લે છે, અને શશીકાંત પટેલ આ સેવાને શિવભક્તિ ગણી ભગવાન સોમનાથને પ્રાર્થના કરે છે, જેથી યાત્રિકો ભોજનની ચિંતા વિના ભક્તિ કરી શકે.