ચંદન રાઠોડના બેસણામાં રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ
ચંદન રાઠોડના બેસણામાં રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ
Published on: 20th September, 2026

સુઈગામના પ્રખ્યાત Social Media Influencer ચંદન રાઠોડ 'ગુજ્જુ લવ ગુરુ'ના માર્ગ અકસ્માતમાં અવસાન બાદ તેમના બેસણામાં રાજકીય આગેવાનો અને ચાહકો ઉમટી પડ્યા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરે મૃતકના પરિવારને સાંત્વના પાઠવી, ચંદનના બાળકોના અભ્યાસ અને લગ્ન પ્રસંગે મદદની ખાતરી આપી. સાંસદ ગેનીબેન ઠાકોરે પણ બાળકોના શિક્ષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.