અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર!
અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર!
Published on: 23rd May, 2026

ઉનાળાની રજાઓ અને વેકેશનના કારણે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે. અસહ્ય ગરમીમાં લોકો ખાસ કરીને રાત્રિના સમયે રિવરફ્રન્ટ તરફ આકર્ષાય છે. નાગરિકો, બાળકો અને પ્રવાસીઓની અનુકૂળતા ધ્યાનમાં રાખીને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્કના સમયમાં વધારો કરાયો છે. હવે રાત્રે 11 વાગ્યા સુધી ટિકિટ મળશે અને મધરાત્રિના 12 વાગ્યા સુધી આ સ્થળોનો આનંદ માણી શકાશે. આ નવો નિર્ણય 25 મે 2026 થી લાગુ થશે. જોકે, હાલમાં બ્રિજની કામગીરીને કારણે સાબરમતી નદીમાં પાણી નથી, જે પ્રવાસીઓ માટે નિરાશાજનક છે.