સુરેન્દ્રનગરમાં આફ્રિકન સ્વાઇન ફીવરથી 700થી વધુ ભૂંડના મોત!
સુરેન્દ્રનગરમાં આફ્રિકન સ્વાઇન ફીવરથી 700થી વધુ ભૂંડના મોત!
Published on: 23rd May, 2026

સુરેન્દ્રનગરમાં ભૂંડના રહસ્યમય મોતનો ભેદ આફ્રિકન સ્વાઇન ફીવર વાયરસ તરીકે સામે આવ્યો છે. છેલ્લા દસ દિવસમાં 700થી વધુ ભૂંડના મોત થતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. અમદાવાદ લેબોરેટરીના રિપોર્ટમાં આ રોગચાળાની પુષ્ટિ થઈ છે. આ વાયરસ ફક્ત ભૂંડને અસર કરે છે અને મનુષ્યો માટે બિલકુલ જોખમી નથી, તેમ પશુ ચિકિત્સક ડો. અશોક રાઠોડે જણાવ્યું. રોગ ફેલાતો અટકાવવા મૃત ભૂંડને 6 ફૂટ ઊંડા ખાડામાં ચૂનો અને બ્લીચિંગ પાવડર સાથે દાટી દેવા તેમજ ભૂંડની હેરફેર પર પ્રતિબંધ મુકાયો છે.