અમદાવાદથી રાંચી જતી ફ્લાઈટમાં યુવકની તબીયત લથડતાં મોત.
અમદાવાદથી રાંચી જતી ફ્લાઈટમાં યુવકની તબીયત લથડતાં મોત.
Published on: 23rd May, 2026

IndiGoની અમદાવાદથી રાંચી જતી ફ્લાઈટમાં 29 વર્ષીય યુવક સુદીપ કુમાર ગૌનિશની તબિયત અચાનક બગડતાં વિમાનનું જબલપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ફેફસાંની ગંભીર બીમારીથી પીડિત સુદીપ સારવાર બાદ બહેન સાથે પરત ફરી રહ્યો હતો. હવામાં જ તેને શ્વાસ લેવામાં ભારે તકલીફ થતાં પાયલટે તરત નિર્ણય લીધો હતો. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટનાથી મુસાફરોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.