ભારે વરસાદની આગાહીન લિધે અધિકારીઓની રજાઓ રદ
હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની 'રેડ એલર્ટ'ની આગાહી કરવામાં આવી છે. આ ભયાવહ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ ગ્રામ્ય પોલીસના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. સમગ્ર તંત્રને 24 કલાક હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને NDRF-SDRFની ટીમો પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહીન લિધે અધિકારીઓની રજાઓ રદ
દેશભરમાં ભારે વરસાદ, પૂર અને ભુસ્ખલનથી અનેક રાજ્યોમાં જનજીવન પ્રભાવિત
દેશભરમાં ચોમાસાની આફતે હાહાકાર મચાવ્યો છે. ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને અસમ સહિત અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ, પૂર અને ભુસ્ખલનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કેદારનાથ યાત્રા સ્થગિત કરવી પડી છે, જ્યારે અસમમાં મૃત્યુઆંક વધીને 78 પર પહોંચ્યો છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ભુસ્ખલન અને ઓડિશાના ભદ્રકમાં લાખો લોકો પૂરની અસરમાં છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી રાખી છે.
દેશભરમાં ભારે વરસાદ, પૂર અને ભુસ્ખલનથી અનેક રાજ્યોમાં જનજીવન પ્રભાવિત
માંજલપુર પેટાચૂંટણીમાં મારામારી અને આચાર સંહિતા ભંગ વચ્ચે માત્ર ૩૭.૫૦% મતદાન
વડોદરામાં માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં અનેક સ્થળોએ મારામારી, ઉગ્ર બોલાચાલી અને આચાર સંહિતાના ભંગની ફરિયાદો વચ્ચે મતદાન પૂર્ણ થયું. સાંજે ૬ વાગ્યા સુધીમાં કુલ ૩૭.૫૦% મતદાન નોંધાયું, જે ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી થયેલી બેઠક માટે યોજાયું હતું. ૨૬૦ મતદાન મથકો પર સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું, પરંતુ ૧૧ વાગ્યા સુધી માત્ર ૧૪% મતદાન થયું હતું. ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે અથડામણના દ્રશ્યો સર્જાયા હતાં. ભાજપના સતીષ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઇ રબારીના ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયા છે.
માંજલપુર પેટાચૂંટણીમાં મારામારી અને આચાર સંહિતા ભંગ વચ્ચે માત્ર ૩૭.૫૦% મતદાન
ભારે વરસાદની આગાહીને જોતાં ગુજરાત પોલીસ હાઇ ઍલર્ટ પર
રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહીને પગલે ગુજરાત પોલીસ જાનમાલના રક્ષણ માટે વ્યાપક તૈયારીઓ સાથે હાઇ ઍલર્ટ પર છે. રાજ્યના પોલીસ વડાએ ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજી તમામ અધિકારીઓને સતર્ક રહેવાની સૂચના આપી છે. 'ઇવેક્યુએશન પ્લાન' અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં NDRF, SDRF અને સ્થાનિક પોલીસ સંકલનમાં કામ કરશે. નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકો અને પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગ, માર્ગ-મકાન વિભાગ અને વીજ કંપનીઓ સાથે મળીને કામગીરી હાથ ધરાઈ છે.
ભારે વરસાદની આગાહીને જોતાં ગુજરાત પોલીસ હાઇ ઍલર્ટ પર
મહેસૂલ વિભાગ વર્ગ-૩ કર્મચારીઓની જિલ્લા આંતરિક બદલી હવે કલેક્ટર કરશે
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે મહેસૂલ વિભાગ હસ્તકના ખાતાના વડાઓની કચેરીઓમાં કાર્યરત વર્ગ-૩ના કર્મચારીઓની જિલ્લા પૂરતી આંતરિક બદલી કરવાની સત્તા સંબંધિત જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે. આ નિર્ણય અરજદારોના કામો સરળતાથી અને ઝડપથી થાય તે માટે લેવાયો છે. અગાઉ કલેક્ટરને માત્ર નાયબ મામલતદાર, કારકૂન અને તલાટીઓની બદલી કરવાની સત્તા હતી. હવે આ વિસ્તૃત સત્તા હેઠળ સબ રજીસ્ટ્રાર, સિનિયર સર્વેયર, સર્વેયર અને કારકૂન જેવા કર્મચારીઓની જિલ્લા કક્ષાએ બદલી કરી શકાશે. આ બદલીઓ સંબંધિત ખાતાના વડાના મહેકમ પૂરતી જ સીમિત રહેશે.
મહેસૂલ વિભાગ વર્ગ-૩ કર્મચારીઓની જિલ્લા આંતરિક બદલી હવે કલેક્ટર કરશે
ભારે વરસાદ, વીજળી પડવી જેવી કુદરતી આપત્તિથી બચવા આટલું ખાસ ધ્યાન રાખવું
ચોમાસામાં ભારે વરસાદ અને વીજળી પડવાના જોખમથી બચવા માટે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ નિષ્ણાતો દ્વારા મહત્વની સલાહ આપવામાં આવી છે. વીજળીની પૂર્વચેતવણી માટે 'દામિની એપ' (Damini App) ડાઉનલોડ કરો. જરૂર પડ્યે હેલ્પલાઇન નંબર 108, 1070/1077 પર સંપર્ક કરો. અતિ ભારે વરસાદ અને વીજળી દરમિયાન ઘરની અંદર અને બહાર રાખવાની સાવધાનીઓ, પશુધનની સુરક્ષા અને તાત્કાલિક સૂચનાઓ માટે 'સચેત (SACHET)' એપ ખૂબ ઉપયોગી છે.
ભારે વરસાદ, વીજળી પડવી જેવી કુદરતી આપત્તિથી બચવા આટલું ખાસ ધ્યાન રાખવું
અમદાવાદ RTOનો વાહન ડીલરોને આદેશ
અમદાવાદમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે અનેક વાહનોની હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) પડી જવાની ફરિયાદો બાદ, અમદાવાદ RTOએ તમામ વાહન ડીલરોને HSRPને નોન-રીયુઝેબલ સ્નેપ-લોક ફાસ્ટનિંગ સિસ્ટમથી જ લગાવવાનો આદેશ આપ્યો છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના નિયમ 50(V) મુજબ આ ફરજિયાત છે. તપાસમાં જાણવા મળ્યું કે હલકી ગુણવત્તાવાળા મટીરીયલના ઉપયોગથી પ્લેટ છૂટી પડી હતી. RTOએ ડીલરોને ગુણવત્તાયુક્ત ફિટિંગ સુનિશ્ચિત કરવા અને નવી પ્લેટ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા સરળ બનાવવા પણ સૂચના આપી છે, જેથી વાહન માલિકોને કોઈ હાલાકી ન ભોગવવી પડે.
અમદાવાદ RTOનો વાહન ડીલરોને આદેશ
રાજ્ય પોલીસ વડાએ DGP કમેન્ડેશન ડિસ્કની સંખ્યા 148 કરી
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે 2020 થી DGP Commendation Disc એનાયત થાય છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે HoPF Gujarat એ વાર્ષિક રિવોર્ડ સિસ્ટમમાં સુધારાની જાહેરાત કરી છે. DGP કમેન્ડેશન ડિસ્ક ની સંખ્યા 110 થી વધારીને 148 કરાઈ છે. સૌથી મહત્વપૂર્ણ, પોલીસ ઉપરાંત હવે સિવિલયન સ્ટાફને પણ કમેન્ડેશન Roll awards મળશે. આ સુધારેલી સિસ્ટમમાં ગુના નિવારણ, વહીવટી ફરજો, ટ્રાફિક, રમતગમત અને ચૂંટણી કામગીરીને પણ ધ્યાનમાં લેવાશે.
રાજ્ય પોલીસ વડાએ DGP કમેન્ડેશન ડિસ્કની સંખ્યા 148 કરી
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: 13 જિલ્લાઓમાં રેડ ઍલર્ટ
ગુજરાતમાં આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરુચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિત 13 જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર કરાયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમો તૈનાત કરાઈ છે. આર્મી, નેવી અને એરફોર્સને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. નાગરિકોને અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવા સૂચના અપાઈ છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: 13 જિલ્લાઓમાં રેડ ઍલર્ટ
ટ્રાવેલ્સ બસમાંથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
બાલાજી ટ્રાવેલ્સની બસમાંથી 444 બોટલ દારૂ ઝડપાયો છે. માલધારી સોસાયટીનો રિસીવર ડિલિવરી લેવા આવતા જ LCB ઝોન-1 ટીમે કાર્યવાહી કરી. અગાઉ બે ખેપ માર્યાની કબૂલાત કરી છે. પોલીસે કુલ રૂ. 15.99 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી રાજકોટ પોલીસ કમિશનરની સૂચના અનુસંધાને કરવામાં આવી હતી. ચાર આરોપીઓ મધ્યપ્રદેશથી પેસેન્જરની આડમાં દારૂની ખેપ મારતા હતા.
ટ્રાવેલ્સ બસમાંથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુજીત રૂપાણી ટ્રસ્ટના દીક્ષા સમારોહમાં ઉપસ્થિત રહેશે
રાજકોટમાં પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા આયોજીત દીક્ષા સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજકોટના મેયર ડો.નેહલભાઈ શુક્લ પણ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. પુજીત રૂપાણી ટ્રસ્ટ છેલ્લા 27 વર્ષથી જરૂરિયાતમંદ અને હોશિયાર વિદ્યાર્થીઓ માટે ‘જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટ’ ચલાવી રહ્યું છે, જેમાં ધો.8 થી 12 સુધીના 20-25 પસંદગી પામેલા વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને મેડિકલ જવાબદારી ટ્રસ્ટ ઉઠાવે છે. આ સમારોહ તા. 02/08/2026, રવિવારે સાંજે 4:30 વાગ્યે અટલ બિહારી વાજપેઈ ઓડિટોરિયમ, પેડક રોડ, રાજકોટ ખાતે યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુજીત રૂપાણી ટ્રસ્ટના દીક્ષા સમારોહમાં ઉપસ્થિત રહેશે
દેશની 1 લાખથી વધુ શાળાઓમાં એક જ શિક્ષક!
UDISE Report 2025-26 મુજબ, દેશમાં 1,00,843 થી વધુ શાળાઓ માત્ર એક શિક્ષક પર નિર્ભર છે. આ ગંભીર સમસ્યામાં આંધ્ર પ્રદેશ સૌથી આગળ છે, જ્યાં 16,357 શાળાઓમાં એક જ શિક્ષક છે. દેશની લગભગ 65% 'સિન્ગલ-ટીચર' શાળાઓ માત્ર 7 રાજ્યોમાં આવેલી છે, જેમાં ઝારખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. જ્યારે કેરળ, નાગાલેન્ડ, સિક્કિમ, દિલ્હી જેવા રાજ્યોમાં સ્થિતિ ઘણી સારી છે. વાસ્તવિકતા કાગળ પરના આંકડાઓ કરતા ઘણી અલગ છે.
દેશની 1 લાખથી વધુ શાળાઓમાં એક જ શિક્ષક!
પંચમહાલમાં આગામી શનિવાર સુધી ભારે વરસાદની આગાહી
પંચમહાલ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. 30મી જુલાઈની રાતથી 1લી ઓગસ્ટની સવાર સુધી ભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ ઍલર્ટ જાહેર થયું છે. આફતને પહોંચી વળવા NDRFની 1 અને SDRFની 2 ટીમો તહેનાત કરાઈ છે. DEOC 24 કલાક કાર્યરત છે અને તમામ સરકારી વિભાગો હાઈ ઍલર્ટ પર છે. નીચાણવાળા વિસ્તારો પર નજર રાખી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાશે. પાવાગઢમાં પણ સુરક્ષાના પગલાં લેવાશે, જરૂર પડ્યે પગથિયાં બંધ કરાશે. કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ વહેતા પાણીમાં વાહન ન ચલાવે અને સુરક્ષિત રહે.
પંચમહાલમાં આગામી શનિવાર સુધી ભારે વરસાદની આગાહી
અમદાવાદ-વડોદરામાં ભારે વરસાદની રેડ ઍલર્ટ
હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે, 31મી જુલાઈ 2026ના રોજ અમદાવાદ શહેરની તમામ શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કામગીરી બંધ રાખી રજા જાહેર કરાઈ છે. આ આદેશ શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને પ્રાઈવેટ શાળાઓ, તેમજ કોલેજોને લાગુ પડશે. વડોદરા શહેર અને જિલ્લાની તમામ આંગણવાડીઓ, સ્કૂલો અને કોલેજોમાં પણ ભારે વરસાદની આગાહીના પગલે રજા જાહેર કરાઈ છે.
અમદાવાદ-વડોદરામાં ભારે વરસાદની રેડ ઍલર્ટ
સુરત વરિયાવમાં ખાડી પુલનું ધોવાણ છતાં જોખમી અવરજવર
સુરતના વરિયાવ-છાપરાભાઠા વિસ્તારમાં ભારે વરસાદ બાદ જર્જરિત બનેલા કલવર્ટ પુલ પરથી ફરી વાહનવ્યવહાર શરૂ થતાં અકસ્માતની ભીતિ વધી છે. પાલિકાએ અગાઉ બેરિકેડ લગાવી અવરજવર બંધ કરી હતી, પરંતુ બાદમાં બેરિકેડ હટાવી દેવામાં આવ્યા હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો આ પુલનો ઉપયોગ કરતા હોવાથી સ્થાનિકોએ નવો બ્રિજ તૈયાર ન થાય ત્યાં સુધી હાલના પુલને સંપૂર્ણ બંધ રાખી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે.
સુરત વરિયાવમાં ખાડી પુલનું ધોવાણ છતાં જોખમી અવરજવર
વડોદરાની સરકારી કચેરીમાં ચોરી: 10 સીલિંગ ફેન અને 12 એલઇડી લાઇટ ગાયબ
વડોદરામાં નર્મદા ભવન સ્થિત અધિક નોંધણી સર નિરીક્ષકની જૂની કચેરીમાં રિનોવેશન દરમિયાન ચોરી થઈ છે. અજાણ્યા તસ્કરોએ કચેરીના દરવાજા તોડી અંદર પ્રવેશ કરી, 10 સીલિંગ ફેન અને 12 એલઇડી લાઇટ ચોરી લીધી. આ ચોરીમાં અંદાજે રૂ.16 હજારની સરકારી મિલકત ગુમ થઈ છે. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના સરકારી કચેરીઓની સુરક્ષા પર સવાલો ઉભા કરે છે.
વડોદરાની સરકારી કચેરીમાં ચોરી: 10 સીલિંગ ફેન અને 12 એલઇડી લાઇટ ગાયબ
વડોદરાના લાલબાગ પાંજરાપોળમાં પશુઓની જાળવણી મુદ્દે ગૌરક્ષકો-સંચાલકો આમને-સામને
વડોદરાના લાલબાગ પાંજરાપોળમાં પશુઓની જાળવણીને લઈને વિવાદ સર્જાયો છે. ગૌરક્ષકોનો આરોપ છે કે પશુઓની યોગ્ય દેખભાળ થતી નથી, જેના કારણે ત્રણ ગાયોના મોત થયા અને 12 ગાયોની હાલત ગંભીર છે. સંચાલકો ભ્રષ્ટાચારમાં વ્યસ્ત હોવાનો અને મૂંગા પશુઓ પ્રત્યે બેદરકારી દાખવવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો. જોકે, પાંજરાપોળના સંચાલકોએ આ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું કે પશુઓને નિયમિત તબીબી સારવાર, ઘાસચારો અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. હાલમાં 400 પશુઓની ક્ષમતાવાળા પાંજરાપોળમાં 300 પશુઓ છે અને માત્ર 6 ગાયોની સારવાર ચાલી રહી છે.
વડોદરાના લાલબાગ પાંજરાપોળમાં પશુઓની જાળવણી મુદ્દે ગૌરક્ષકો-સંચાલકો આમને-સામને
ભારે વરસાદની આગાહી ના પગલે આવતીકાલે વડોદરા શહેર જિલ્લાની સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
તારીખ 31 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહીના પગલે વડોદરા શહેરની સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો તંત્ર નિર્ણય લીધો છે.મળતી જાણકારી અનુસાર જિલ્લા કલેકટરે એક જાહેરનામું બહાર પાડીને વડોદરા શહેર અને જિલ્લાની તમામ આંગણવાડીઓ સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરી છે. સાથે સાથે આ આદેશનો ભંગ કરનાર સંસ્થાઓ સામે કાર્યવાહી પણ કરવાની ચીમકી આપી છે.આ પહેલા પણ ભારે વરસાદની આગાહીના કારણે ગત સપ્તાહે વડોદરા શહેર જિલ્લાની સ્કૂલો બે દિવસ બંધ રાખવામાં આવી હતી.
ભારે વરસાદની આગાહી ના પગલે આવતીકાલે વડોદરા શહેર જિલ્લાની સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
વલસાડ જિલ્લામાં પૂર બાદ ખેડૂતોએ ફરી શરૂ કરી રોપણી
વલસાડ જિલ્લામાં તા.23-24 જુલાઈના રોજ આવેલા વિનાશક પૂર બાદ ખેડૂતોએ હિંમત ગુમાવી નથી. ધોવાઈ ગયેલા પાકો વચ્ચે, કુદરત પર ભરોસો રાખી અને ફેર રોપણીની કામગીરી શરૂ કરી છે. ચોમાસાના વિલંબ બાદ વરસાદ પડતાં ડાંગરની રોપણી કરાઈ હતી, પરંતુ અતિવૃષ્ટિએ બધું જ ધોઈ નાખ્યું. ખાસ કરીને ઉમરગામ તાલુકામાં 52 ઇંચ વરસાદથી જળબંબાકાર થયો હતો. આર્થિક નુકસાન અને ઘરવિહોણા થયા હોવા છતાં, ખેડૂતો બચેલા ધરુ વડે ફરીથી વાવણી કરી સારા પાકની આશા રાખી રહ્યા છે.
વલસાડ જિલ્લામાં પૂર બાદ ખેડૂતોએ ફરી શરૂ કરી રોપણી
વડોદરાના કારેલીબાગ વુડા ભવનમાં આગ
વડોદરાના કારેલીબાગ સ્થિત વુડા ઓફિસના છઠ્ઠા માળે આવેલી નગરપાલિકાઓની પ્રાદેશિક કમિશનરની કચેરીમાં ગઈકાલે રાત્રે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં નગરપાલિકાઓને લગતા મહત્વના દસ્તાવેજો અને ફર્નિચર ખાક થઈ ગયા હતા. વાયરીંગમાં આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવા બે કલાકથી વધુ સમય લાગ્યો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે, જેની તપાસ માટે પોલીસ ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લઈ રહી છે.
વડોદરાના કારેલીબાગ વુડા ભવનમાં આગ
અમદાવાદ SP રિંગ રોડ પર હુક્કાબાર પર પોલીસનો દરોડો
અમદાવાદના SP રિંગ રોડ પર 'VinViks' કેફેમાં ચાલતા ગેરકાયદે હુક્કાબાર પર સાબરમતી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે દરોડો પાડીને સંચાલક વિનીત રાઠોડ અને હુક્કા પી રહેલા ગ્રાહકોની અટકાયત કરી છે. હર્બલ ફ્લેવરના નામે નિકોટીન યુક્ત ફ્લેવરનો ઉપયોગ થતો હતો. પોલીસે સ્થળ પરથી 2 હુક્કા, 9 ફ્લેવર્ડ તમાકુના ડબ્બા સહિત કુલ ₹37,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
અમદાવાદ SP રિંગ રોડ પર હુક્કાબાર પર પોલીસનો દરોડો
રાજકોટમાં પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની સનસનાટીભરી લૂંટ
રાજકોટના પટેલ વાડી વિસ્તારમાં આવેલી પ્રાઈમ Angadia પેઢીમાં સવારે બે અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા અને પૈસા ટ્રાન્સફર કરવાના બહાને કર્મચારીઓને બંદૂકની અણીએ ધમકાવ્યા. આશરે 19 લાખ રૂપિયાની રોકડ ભરેલો થેલો લઈને લૂંટારુઓ ફરાર થઈ ગયા, જેના પગલે શહેરમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે CCTV ફૂટેજ કબજે કરીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને નાકાબંધી હાથ ધરી છે. આરોપીઓની ઓળખ કરીને ટૂંક સમયમાં ધરપકડ કરવાનો પોલીસનો દાવો છે.
રાજકોટમાં પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની સનસનાટીભરી લૂંટ
વડોદરાની માંજલપુર પેટા ચૂંટણીમાં આચારસંહિતા ભંગ મુદ્દે કોંગ્રેસ-ભાજપ સામ-સામે
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. આ બેઠક પર મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. મતદાન દરમિયાન, ભાજપ પર ઢોલ-નગારા સાથે પ્રચાર કરવાનો અને પક્ષના ચિહ્નવાળા ખેસ પહેરી મતદારોને અપીલ કરવાનો આરોપ લાગ્યો છે, જે ચૂંટણી નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવાયું છે. આ અંગે કોંગ્રેસે ચૂંટણી અધિકારીઓને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ, કોંગ્રેસના કાર્યકરો પર પણ પક્ષના ચિહ્નવાળા ખેસ પહેરી હાજર રહેવાનો આરોપ છે, જેના કારણે બંને પક્ષોના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
વડોદરાની માંજલપુર પેટા ચૂંટણીમાં આચારસંહિતા ભંગ મુદ્દે કોંગ્રેસ-ભાજપ સામ-સામે
બિસ્માર ગુજરાત હાઈવે પર 6352 કરોડ ટોલટેક્સ વસૂલી
ગુજરાતમાં અનેક નેશનલ હાઇવે અત્યંત બિસ્માર સ્થિતિમાં હોવા છતાં વાહનચાલકો પાસેથી સતત ટોલટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે. ખરાબ રસ્તાઓ અને ખાડાઓને કારણે વાહનોને નુકસાન અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ફક્ત છેલ્લા એક વર્ષમાં 6,352 કરોડ રૂપિયા ટોલટેક્સના નામે વસૂલવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ 24,813 કરોડ રૂપિયાની વસૂલાત થઈ છે, જે નિર્માણ ખર્ચ કરતાં પણ વધુ છે. ચોમાસામાં રસ્તાઓ ધોવાઈ જવા છતાં સરકાર મૌન છે. 2021માં 38 ટોલ નાકા હતા, જે 2025-26 સુધીમાં 66 થઈ જશે, છતાં રસ્તાની સ્થિતિ સુધરી નથી.
બિસ્માર ગુજરાત હાઈવે પર 6352 કરોડ ટોલટેક્સ વસૂલી
અમદાવાદના નિકોલમાં નર્મદા આવાસમાંથી 7 લાખનો દારૂ ઝડપાયો
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી નર્મદા આવાસ યોજનાના પાર્કિંગમાંથી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે પીકઅપ વાહનમાં શાકભાજીના ખાલી કેરેટ અને તાડપત્રીની આડમાં છુપાવવામાં આવેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કુલ 2520 બોટલો, જેની કિંમત લગભગ 7.20 લાખ રૂપિયા થાય છે, તે કબજે કરાઈ છે. પોલીસે દારૂ અને પીકઅપ વાહન મળીને કુલ 10.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાતમીના આધારે થયેલા આ દરોડા બાદ પોલીસે વાહન માલિક અને સપ્લાયર્સ અંગે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના નિકોલમાં નર્મદા આવાસમાંથી 7 લાખનો દારૂ ઝડપાયો
ગુજરાતના 6 જિલ્લામાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 3 કલાક માટે 6 જિલ્લાઓમાં કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની ઓરેન્જ એલર્ટ જાહેર કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં અચાનક વાતાવરણ પલટાશે. રાજ્યના અન્ય 16 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તંત્ર સાવચેત થયું છે અને લોકોને સુરક્ષિત રહેવાની સૂચના અપાઈ છે. ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી છે.
ગુજરાતના 6 જિલ્લામાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદના ઠક્કરનગર પાસે AMC ટીમ અને લારી ધારકો વચ્ચે ઘર્ષણ
અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં AMCની દબાણ હટાવવાની ટીમ અને સ્થાનિક લારી ધારકો વચ્ચે રતનબા કેનાલ પાસે ઘર્ષણ થયું. દબાણ હટાવવા પહોંચેલી AMCની ટીમ અને લારી ધારકો વચ્ચે બોલાચાલી બાદ મામલો વકર્યો. લારી ધારકોએ AMC કર્મચારી પર માર મારવાનો આરોપ લગાવ્યો. રોષે ભરાયેલા લારી ધારકોએ લારીના શાકભાજી રસ્તા પર ફેંકી દઈ તંત્રની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો અને સૂત્રોચ્ચાર કર્યા. પરિસ્થિતિ વણસે તે પહેલાં પોલીસ બોલાવી કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી.
અમદાવાદના ઠક્કરનગર પાસે AMC ટીમ અને લારી ધારકો વચ્ચે ઘર્ષણ
અમદાવાદમાં ડબલ વળતરની લાલચ અને UPI ફ્રોડ
અમદાવાદ શહેરમાં છેતરપિંડીની બે અલગ-અલગ ઘટનાઓમાં વૃદ્ધ અને ખેડૂત કુલ ૨૧.૮૫ લાખ રૂપિયા ગુમાવી બેઠા છે. નારણપુરાના ૮૫ વર્ષીય નિવૃત્ત વૃદ્ધને ડબલ વળતરની લાલચ આપી મુંબઈના ઠગોએ ૧૫ લાખ રૂપિયા પડાવી લીધા. તેમણે સોનું ગીરવે મૂકી લોન લીધી હતી. બીજી તરફ, દસ્ક્રોઈના એક ખેડૂતના બેન્ક ખાતામાંથી, જેઓ UPI વાપરતા જ નથી, સાયબર માફિયાઓએ ૬.૮૫ લાખ રૂપિયા ઉપાડી લીધા. આ બંને બનાવો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં ડબલ વળતરની લાલચ અને UPI ફ્રોડ
૨૨ રાજ્યોમાં ધોધમાર વરસાદની ચેતવણી
ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના ૨૨ રાજ્યોમાં આગામી 3 થી 4 દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ચોમાસું વધુ સક્રિય રહેશે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, બિહાર, ઓડિશા અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે ચારધામ યાત્રા પર અસર થઈ છે. દિલ્હી-NCR માટે યેલો એલર્ટ જાહેર કરાયું છે.
૨૨ રાજ્યોમાં ધોધમાર વરસાદની ચેતવણી
ગુજરાતમાં ૩ વર્ષમાં ૧૮૯૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી!
ગુજરાતમાં વિદ્યાર્થીઓના આપઘાતનો આંકડો ચિંતાજનક છે. છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૧,૮૯૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. શિક્ષણનું વ્યાપારીકરણ, વારંવાર પેપર લીક, પરીક્ષાનું માનસિક દબાણ અને ભવિષ્યની બેરોજગારી આ સ્થિતિ માટે મુખ્ય પરિબળો છે. ૨૦૨૪માં ૫૬૮ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો, જે દર્શાવે છે કે દર બે દિવસે ત્રણ વિદ્યાર્થીઓ જિંદગી ટૂંકાવી રહ્યા છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી ૧૦૮ અને રોજગારી ન મળવાના લીધે ૧૫૯ યુવાનોએ આ પગલું ભર્યું. સૌથી ગંભીર બાબત એ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ૧,૦૨૪થી વધુ દીકરીઓએ આપઘાત કર્યો છે.
ગુજરાતમાં ૩ વર્ષમાં ૧૮૯૯ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી!
અમદાવાદના રામોલમાં બહારગામ ગયેલા પરિવારના ઘરે તસ્કરો ત્રાટક્યા
અમદાવાદના રામોલ વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન વ્યવસાયીના બંધ મકાનમાંથી ત્રણ બુકાનીધારી તસ્કરોએ 31.85 લાખ રૂપિયાથી વધુની સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે પરિવાર બહારગામ ગયો હતો. પડોશીની જાગૃતિ અને બૂમાબૂમથી તસ્કરો ઘરની બહાર દોડી આવ્યા અને ટુ-વ્હીલર પર ભાગી છૂટ્યા. રામોલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ફરાર તસ્કરોને શોધવા માટે તપાસ શરૂ કરી છે.