વેજલપુર મર્ડર કેસનો પેરોલ જમ્પ કેદી ઉનાવાથી ઝડપાયો, પાટણ પોલીસે અમદાવાદ જેલ મોકલ્યો.
વેજલપુર મર્ડર કેસનો પેરોલ જમ્પ કેદી ઉનાવાથી ઝડપાયો, પાટણ પોલીસે અમદાવાદ જેલ મોકલ્યો.
Published on: 16th February, 2026

પાટણ પોલીસે વેજલપુર મર્ડર કેસના આજીવન કેદની સજા ભોગવતા પેરોલ જમ્પ કેદીને ઉનાવાથી પકડ્યો. આરોપી લતીફ સૈયદ 2009ના IPC કલમ 302 મુજબના કેસમાં સંડોવાયેલો હતો, અને પેરોલ પરથી ફરાર થઈ ગયો હતો. પેરોલ-ફર્લો સ્ક્વોડે ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા તપાસ કરી આરોપીને ઝડપી પાડ્યો. આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 35(1)(જે) હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલ મોકલવાની કાર્યવાહી ચાલુ છે.