દિલ્હીમાં PM મોદી AI શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરશે
દિલ્હીમાં PM મોદી AI શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરશે
Published on: 16th February, 2026

પ્રધાનમંત્રી મોદી ભારત મંડપમ ખાતે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ એક્સ્પો 2026નું ઉદ્ઘાટન કરશે. આ એક્સ્પો AIના પ્રદર્શન માટેનું રાષ્ટ્રીય પ્લેટફોર્મ હશે, જેમાં ટેકનોલોજી સામાન્ય નાગરિક સુધી પહોંચે તેવું આયોજન છે. એક્સ્પોમાં ઓસ્ટ્રેલિયા, જાપાન સહિત 13 દેશોના પેવેલિયન હશે, તથા 300થી વધુ પ્રદર્શન પેવેલિયન અને લાઈવ પ્રદર્શનો પણ યોજાશે. 600થી વધુ સ્ટાર્ટઅપ્સ ભાગ લેશે અને ૨.૫ લાખથી વધુ લોકો આવે તેવી અપેક્ષા છે.