હિંમતનગર સિવિલ ચોકડી પાસે કારમાં આગ, હાઈવે બંધ કરાયો.
હિંમતનગર સિવિલ ચોકડી પાસે કારમાં આગ, હાઈવે બંધ કરાયો.
Published on: 09th March, 2026

હિંમતનગર નજીક અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે 48 પર કારમાં આગ લાગી. સિવિલ ચોકડી પાસે ઓવરબ્રિજ પર બનેલી ઘટનામાં હાઈવે બંધ કરાયો. ફાયર વિભાગ પહોંચે એ પહેલાં કાર ખાખ થઈ ગઈ હતી, પરંતુ સદનસીબે જાનહાનિ ટળી. ટ્રાફિક જામ થયો હતો અને લોકોના ટોળાં ભેગા થયાં હતાં.