નડિયાદ સંતરામ શાકભાજી સબ માર્કેટ યાર્ડમાં ભીષણ આગ, લાખોનું નુકસાન.
નડિયાદ સંતરામ શાકભાજી સબ માર્કેટ યાર્ડમાં ભીષણ આગ, લાખોનું નુકસાન.
Published on: 08th February, 2026

નડિયાદના સંતરામ શાકભાજી સબ માર્કેટ - યાર્ડમાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન થયું. જેમાં 6થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ. આગ લાગવાના કારણો જાણવા તપાસ શરૂ કરાઈ છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શંકા છે. આ ઘટના ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક આવેલા એ.પી.એમ.સી.માં બની હતી.